SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત થાય છે. એ વાત કાણુ નથી જાણતું કે જેમ જેમ કૂવામાંથી પાણી વપરાય તેમ તેમ જરૂર નીચેથી પાણી આવતું જાય. જે મૂર્ખ હાય તેજ લક્ષ્મીને દાટીને તેના માથા ઉપર ધૂળ નાંખે છે, પટારામાં પૂરી રાખે છે. તેવું આપણને કાઇ કરે તેા આપણે જેમ કાપાઇ જઇએ, તેમ લક્ષ્મીને ઘાટનારાની ઉપર અને પૂરનારાની ઉપર લક્ષ્મી (દેવી) કાપાયમાન ન થાય ? તેના ઘરમાં શું લક્ષ્મી ટકે ખરી કે ? નજ ટકે. પૂર્વે જણાવેલા ધર્માદિ ચારમાંના ધને જો જાળવીએ, તે લક્ષ્મીને અગ્નિને, રાજાને, ચારના તલભાર પણ ભય રહેતા જ નથી. જો ધર્મનું અપમાન કરીએ તે માટાભાઇ જેવા ધર્મનુ આપણે અપમાન કર્યું કહેવાય, એમ જાણીને (ધના ત્રણ નાના ભાઇ) અગ્નિ, રાજા, ચાર જરૂર કાપાયમાન થાય છે. એટલે કંજૂસાઈથી જેએ ધર્મ માગે લક્ષ્મીના સત્તુપયોગ ન કરે, તેમની લક્ષ્મીના સ્થલે અગ્નિના ભય જાગે (લાહ્ય જાગે) અથવા ચાર તેને ચારી જાય, કાં તેા રાજા તે (લક્ષ્મી) ને દંડ વિગેરેમાં જકડાવીને લઇ જાય. માટે મને સમજાયું છે કે લક્ષ્મીને દાનાદિ ધ કાર્યોંમાં વાપરવી અને કુટુંબના અને પેાતાના પાષણમાં પણ વાપરવી. જો તેમ ન કરીએ તેા ‘જેમ મધમાખી મધ એકઠુ કરે, અને વાઘરી લઇ જાય ' તેના જેવી સ્થિતિ થાય. માખીના એવે! સ્વભાવ હાય છે કે જ્યારે તે કાઇ પણ મિષ્ટ પદાદિની ઉપર બેસે, ત્યારે આગળના બે (હાથ જેવા) પગ ઘસે છે. તેથી તે (માખી) આપણને એમ સમજાવે છે કે મેં એકઠા કરેલા મધનુ દાન ન કર્યું તેથી મારી આ સ્થિતિ થઇ. મારામાંથી હું માનવા! તમે બેધ લેજો. દાનાદિ સન્માર્ગે લક્ષ્મીના જરૂર સદુપયાગ કરો. કારણ કે ધનની ત્રણ ગતિ (રસ્તા) છે. તે આ પ્રમાણે— દાન, ભાગ અને નાશ. જે લક્ષ્મી દાનમાં અને પેાતાના કામ (કા) માં ન વપરાય, તે જરૂર નાશ પામે છે. આવા શાસ્રકારના વચને મને યાદ આવ્યાં જેથી નિર્ણય કર્યો છે કે લક્ષ્મીને દાનાદિમાં વાપરવી. એમ જણાવીને તેણે મુનીમને હુકમ કરી તમામ લક્ષ્મી પેાતાની આગળ એકઠી કરાવીને કુટુંબના માણુસેને જોઇએ તે કરતાં વધારે દેવા માંડી. આન ંદથી કુટુંબિજનાને ખાવા પીવા લ્હેરવા માટે મન માન્યા પદાર્થો દેવા માંડયા, અને ઘરના આંગણે આવનાર દીન દુઃખિયા વિગેરે ગરીબ માણસોને દાન દઇને ઘણી લક્ષ્મી વાપરી દીધી. તથા જૂના નાકરા બદલીને વધારે પગાર ઇને નવા નાકરા રાખ્યા અને દરવાજાના નાકે નવા વ્હેરેદાર સિપાઇઓ રાખ્યા. તે સર્વને જણાવી દીધું કે હાલ શહેરમાં એક ખીજાના જેવું રૂપ કરીને એક બીજાના ઘરમાં દાખલ થાય એવા ઘણા ધૂતારાઓ ફ્રી રહ્યા છે. તેએથી તમારે સાવચેત રહેવું ને મારી રજા સિવાય કોઈને અંદર આવવા દેવા નહિ. કેટલાક સમય વીત્યા બાદ (સાચા) સંકલશે બ્હાર ગામથી આવ્યા. ઘરમાં પેસતાં સિપાઈએ તેને અંદર ન જવા દીધા. અને તેને નામ વિગેરે પૂછતાં પૂછતાં અંદર રહેલા સંકલશેઠે કહેલુ સાવચેતીનું વચન યાદ આવ્યું અને ખાત્રી કરીને ધૂતારા જાણીને કહ્યું કેસકલશેઠ તેા ઘરમાં છે. તું કાઈ ગારા જણાય છે. માટે ઘરની અંદર દાખલ થવું નહિં Jain Education International For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy