________________
૧ઠે
રેશનાચિતામણિ]. (૪) અને આ ભવની પછીના દરેક ભમાં આપને ધર્મ મને મળે. આ પ્રમાણે અહીં પ્રભુ દેવની પાસે ભવ્ય જીવોએ પ્રાર્થના કરેલી હોવાથી આનું નામ “પ્રાર્થના સૂત્ર” પણ કહેવાય છે. ઉપર જણાવેલા ચાર પદાર્થોમાં સમાધિ મરણને ગયું છે, એ ઉપરથી સમજવાનું એ કે જેઓને ધનાદિ પદાર્થોની ઉપર તીવ્ર મૂછી ન હોય, તેવા જ જીવોને સમાધિ પૂર્વક મરણ સાધવાનો શુભ અવસર મળે છે. આ લેકની શરૂઆતમાં જણાવ્યું કે જેઓ લોભ કંજૂસાઈ વિગેરે દેષને લઈને દાન કરતા નથી તેઓ ભવાંતરમાં સર્પાદિને ભવ પામે છે, તેવા જીવોની ચાલુ ભવમાં પણ કેવી ખરાબી થાય છે? આ બાબતને સ્પષ્ટ સમજવાને માટે સંકલશેઠની બીન જાણવા જેવી છે તે ટુંકામાં આ પ્રમાણે જાણવી-- -
હેમરથ નામના નગરમાં જહુનુ રાજાના રાજ્યમાં કરોડો સેના મહારને માલિક છતાં કૃપણુતાનો ભંડાર સંકલ નામે શેઠ પિતાના ધનનું દાન કરતું નથી તેમ પિતે પણ ઉપભેગ કરતો નથી, કુટુંબને પણ એકજવાર જમવાનો નિયમ રાખ્યું હતું અને કણ કેટલું ખાય છે તેના કેળીયા પણ ગણુતો. વળી કઈ વખત કૂવામાં એક કેડી પડી જાય તે તે પણ કાઢી લેતો. એ અત્યંત કૃપણ હતું, એ જ નગરમાં એક દરિદ્રી વિદ્વાન બ્રાહ્મણ રહે છે.
તે શેઠની પાસે એક બ્રાહ્મણ કંઈક ધન માગવા આવ્યું. તેને ધન નહિ આપ્યું, એટલું જ નહિ પણ માર મરાવી ઘરની બહાર કાઢી મૂક્યો. રીસ ચઢવાથી બ્રાહ્મણે યક્ષને આરાળે, તેની પાસેથી મરજી પ્રમાણે રૂપ કરવાનું વરદાન મેળવ્યું. જેથી તે કઈ પણ ટાઈમે કઈ પણ મનુષ્યાદિના જેવું રૂપ કરવા ચાહે, તે યક્ષની મહેરબાનીથી તેવું રૂપ કરી શકે. એક વખત આ બ્રાહ્મણને ખબર પડી કે સંકલશેઠ મ્હારગામ ગયા છે. જેથી પહેલાં મને જે માર મરાવીને બહાર કઢાવ્યો હતો, તેનું આજે વેર લઉં. આવો વિચાર કરી યક્ષના પ્રભાવે તે સંકલ શેઠને જેવું રૂપ કરી તેને ઘેર જઈ ગાદી ઉપર બેઠે. આ વખતે દેખાવ, ભાષા (લખાણ), ચેષ્ટા વિગેરે બાબતમાં જેનાર માણસોને મૂળ સંકલ શેઠના જેવા લાગ્યા, જેથી તેઓએ હારગામ ન જતાં પાછા આવવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે અપશુકન આદિ બંધ બેસતા કારણે જણાવ્યા. જેથી ઘરના માણસોને તેના દીધેલા ઉત્તરમાં લગાર પણ વહેમ (શક) પડે નહિ. થોડી વાર પછી આ કૃત્રિમ સંકલે કુટુંબના માણસેને ભેગા કરી જાહેર રીતે જણાવી દીધું કે હે બાંધવાદિ મહાનુભાવ! અત્યાર સુધીમાં મેં તમને કંજૂસાઈને દુર્ગુણને લઈને “નિરાંતે ખાવા ન દેવું, બીજાઓ ખાતાં હોય, ત્યારે કચકચ કરીને કેળીયા ગણવા. ટીપ ટપરામાં કાંઈ પણ ન દેવું, સગાંઓને જોઈતી ચીજ ન દેવી” વિગેરે કનડગત કરીને ઘણું હેરાન કર્યા, તે સંબંધી મને ઘણે ખેદ થાય છે. પ્રાચીન મહર્ષિઓએ કહ્યું છે કે ૧ ધર્મ, ૨ અગ્નિ, ૩ રાજા, ૪ ચાર આ ચાર ધનના ભાગીદાર છે. જેઓ લક્ષ્મીને ધર્મના રસ્તે વાપરે છે, તેમને ત્યાં લક્ષ્મીને જરૂર વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org