________________
[ શ્રી વિજયપધસૂરિકૃત
માથા ભી રહ્યા છે. પણ તે ગેરવ્યાજબી છે. કારણ કે હે નાગ ! તારે જેટલા માથા છે. તે પ્રમાણે તેટલી વેદના ભેગવવી પડે છે. અને જેને આટલા (હજાર ) માથા નથી, તેને તેટલી વેદના પણ ભેગવવી પડતી નથી, અહીં શેષનાગની જગ્યાએ ધનના અભિ માનમાં તણાએલા જીવો સમજવા. તેઓ એમ વિચારે છે કે અમારે કેવી લક્ષ્મી વિગેરેની સાહિબી છે ? આવા વિચારમાં ને વિચારમાં ખરૂં ધર્મારાધન ભૂલી જાય છે. તેઓને જેટલી સાહિબી છે. તેને સાચવવાની પણ ચિંતા તેમને તેટલી જ હોય છે. લક્ષ્મી વિગેરે ઘટી જાય, ત્યારે પણ તેઓને અસહ્ય વેદના જરૂર ભેગવવી પડે છે. તેવી સાહિબને છેડીને
જ્યારે પોતે ચાલ્યા જાય છે, એટલે ભવાંતરમાં જવું પડે છે, ત્યારે પણ ઘણું કરીને તેવા ઇને અસમાધિ વધારે પ્રમાણમાં જણાય છે. આગમમાં માનવ જીવનને સફલ કરવા માટે અનેક ધાર્મિક કાર્યો સાધવાનાં કહ્યા છે, તેમાં સમાધિ મરણને પણ ગમ્યું છે. એટલે અંતિમ સમયમાં સર્વ જીવોને ખમાવીએ, ચાર શરણું અંગીકાર કરીએ, અજ્ઞાન દશાને લઈને થયેલા પાપની નિંદા કરીએ, અને જીંદગીમાં જે દાનાદિ ધર્મની સાધના કરી હોય, તેને યાદ કરીને અનુમોદના કરીએ. આ પ્રમાણે કરવાથી સમાધિ મરણ પ્રાપ્ત થાય છે. અને સંસારમાં નિર્વેદ (કંટાળો) પામેલા અને માર્ગોનુસારપણાના ગુણેને સાધનારા નિર્મોહી છે જ તેવા મરણને પામી શકે છે. જે જમ્યા, તેને મરવાનું તે જરૂર છેજ. પણ ખરૂં મરણ તેનું જ કહી શકાય કે જેઓ ધર્મમય જીવન ગુજારીને તથા બીજા છાને ધર્મ માર્ગમાં જેડીને મરણ પામે છે..
પ્રતિક્રમણના સૂત્રોમાં પ્રાર્થના સૂત્ર (જયવીયરાય) આવે છે. તેની શરૂઆતમાં “ચીયાર !” આ પદ આવે છે, તેથી તે જયવીયરાય સૂત્ર પણ કહેવાય છે. આમાં બીના આ આવે છે—હે પ્રભે ! તમારા પસાયથી મને (૧) ભવનિર્વેદ એટલે સંસાર ઉપર કંટાળો (અરૂચિ) થ (૨) માર્ગાનુસારપણું એટલે જે ગુણેની સેવનાથી ધર્મના રસ્તે આવી શકાય, અને ધર્મમાં ટકી શકાય, તથા ધર્મમાં આગળ વધી શકાય, તેવા મુખ્ય પાંત્રીશ ગુણેને ધારણ કરવા (૩) ઇષ્ટ ફલ (મેક્ષ) ની સિદ્ધિ એટલે મુક્તિ પદને લાભ. (૪) જે કાર્ય કરવાથી પિતાના દેવ ગુરૂ ધર્મ વિગેરેની નિંદા થાય, તેવા કાર્યો લોકવિરૂદ્ધ કહેવાય છે. તેનાથી અલગ રહેવું (૫) પૂજ્ય પુરૂની પૂજા કરવી. (૬) પરોપકાર કરે. (૭) ઉત્તમ ગુરૂ મહારાજને સમાગમ (સેબત) (૮) તેમના વચન (કહ્યા) પ્રમાણે ચાલવું. આ પૂરેપૂરા આઠ વાનાં જ્યાં સુધી મુક્તિમાં ન જાઉં, ત્યાં સુધીના ભામાં મને મલજો. ૧૨
હે વીતરાગ ! આપના સિદ્ધાંતમાં જે કે નિયાણું બાંધવાની ના કહી છે. તે પણ આપના ચરણ કમલની સેવા મને ભવોભવ મલજે. ૩ હે પ્રભો ! આપને હું દરરોજ પ્રણામ કરું છું, તેના ફલ રૂપે હું ચાર પદાર્થોની માગણી કરું છું. તે આ પ્રમાણે. (૧) મારા તમામ દુઃખોને નાશ થાવ. (૨) સર્વ કર્મોને ક્ષય થાવ. (૩) સમાધિ મરણ થાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org