________________
દેશનાચિતામણિ ] રહે ? અથવા ન રહે. વળી સર્ષની સરખા ભયંકર આઠ મદ જાણવા. આવી સંસારની ભયંકરતા છતાં પણ પામર જીને એટલે હલકી કેટીને જીવેને સંસાર સારે લાગે છે એટલે તેમને સંસાર પ્રત્યે આસક્તિ રહે છે. પરંતુ જે સમજુ ડાહ્યા અને વિદ્વાન પુરૂષ હોય છે તેઓને સંસાર કદાપિ સારો લાગતો નથી. ૧૮૫
કર્મને લઈને જ અહીં વિચિત્રપણું જણાય છે એ વિગેરે જણાવે છે – કઈ મોટું રાજ્ય પામે કઈ ના ધન લેશને,
કેઈ ઉંચા નીચ હવે કઈ સુરૂપ કુરૂપને; કર્મના વેગે બનેલી વિષમતા મન બુધતણું,
અરૂચિ ભાવ વધારતી રૂચિ ભાવ તિમ અજ્ઞાનીના. ૧૮૬ અર્થ—આ સંસારની કર્મથી બનેલી વિચિત્રતા જુઓ–કેઈક જીવને તે મોટું રાજ્ય મળે છે ત્યારે કેઈકને ધનને અંશ (ભાગ) પણ મળતો નથી. એટલે થોડું પણ ધન મળતું નથી. કેટલાક છે ઉંચ કુળમાં ઉત્પન્ન થાય છે જેથી તેઓ ઉંચ ગણાય છે. તથા કેઈક નીચ કુળમાં ઉત્પન્ન થાય છે જેથી તે નીચ ગણાય છે. કેટલાક જ સુંદર રૂપવાળા થાય છે, ત્યારે કેટલાક કપા થાય છે. આવા પ્રકારની કર્મના અનુસારે થએલી વિષમતા એટલે ઉલટા સુલ્હાપણું પંડિત પુરૂષોના માનમાં સંસાર પ્રત્યે અરૂચિ ભાવ વધારે છે. પરંતુ અજ્ઞાની અને ઉલટી તે વિષમતા સંસાર પ્રત્યે અરૂચિ થવાને બદલે રૂચિભાવ અથવા પ્રીતિને વધારો કરે છે. ૧૮૬
ઉન્ડાળાના જેવો સંસાર છે, એમ જણાવીને તે ઉપમા ઘટાવે છે – શમ સરેવરને સુકાવે ક્રોધ ભાનુ તેહથી,
વિષયના તરસ્યા જો પીડાય બહુ બહુ કાળથી; ગ્લાનિ લહે ગુણ રૂપ ચરબી દુષ્ટ કામ સ્વેદથી,
ગ્રીષ્મ ઋતુના જેહવા ભવમાં શરણ સાચું નથી. ૧૮૭ અર્થ –આ સંસારમાં ક્રોધ રૂપી સૂર્ય શમ એટલે શમતા રૂપી સરોવરને સુકવી નાખે છે એટલે ક્રોધ હોય ત્યાં શમતા અથવા શાંતિ રહેતી નથી. વળી વિષય એટલે ઈન્દ્રિયોના ગેમાં આસક્ત છે ઘણું કાળથી પીડાયા કરે છે. એટલે દુઃખી થયા કરે છે. વળી દુષ્ટ કામદ એટલે વિષયવાસના રૂપ પરસેવાથી ગુણ રૂપી ચરબી ગ્લાનિ પામે (સુકાય) છે એટલે ઘટતી જાય છે. આ પ્રમાણે ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાના જેવા આ કષાય રૂ૫ ગરમીથી ભરેલા સંસારમાં શ્રીજિન ધર્મ સિવાય બીજું ખરું શરણું કેઈનું પણ છે જ નહિ. ૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org