SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આ મનુષ્યભવ, જિનધર્મ, ઉત્તમ શ્રાવકકુલ વિગેરે મુક્તિ પદને દેનારા સાધન તને મળ્યા છે. તેની સંપૂર્ણ નિર્મલ સાધના અહીં જ થઈ શકે છે. માટે પ્રમાદને દૂર કરીને બહુ જ આનંદથી તે ધર્મ સાધનની સેવા કર . એમ કરવાથી તને થોડા ટાઈમમાં મુક્તિપદને લાભ જરૂર થશે, એમાં લગાર પણ સંશય નથી. આ ભાવનાને અનુસાર શ્રી જિન ધર્મની આરાધના કરીને તે ઉત્તમ પુરૂષે મુક્તિપદને પામે છે. તેમની મનમાં કંઈ જૂઠું અને બેલવામાં કંઈ ને કરવામાં કંઈ આવી સ્થિતિ હતી જ નથી. કારણ કે તેઓ એમ માને છે કે-દુરાત્માએ વિચારે કંઈ, બેલે કંઈ, અને કરે કંઈ, આવા હોય છે. પણ મહાત્માઓ તે જે મનમાં હોય, તેજ કહે, અને તે પ્રમાણે વર્તે છે. કહ્યું છે કે मनस्येकं वचस्येकं-कर्मण्येकं महात्मनाम् ॥ मनस्यन्यद्वचस्यन्यत्-कर्मण्यन्यदुरात्मनाम् ॥ १॥ આ મહાત્મા પુરૂષોના માર્ગની આરાધના કરનારા ઉત્તમ પુરૂને મોક્ષ સુખ સિવાયનું બીજું સુખ તુચ્છ લાગે છે, તેથી તેઓ પરમપદને સાધવામાં તલ્લીન રહી આત્મોદ્ધાર કરે છે. એટલે સંસાર સમુદ્રને તરી જાય છે. ૬ ઉત્તમ પુરૂષ-જે પરમસંયમી પુરૂષ ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈને ચારે અને ઘાતી કર્મોનો નાશ કરે. અને સર્વજ્ઞ થઈને લેક અલેકની સંપૂર્ણ સ્પષ્ટ બીના જાણે અને ભવ્ય જીને મોક્ષ માર્ગને રસિક બનાવવાને માટે આ પ્રમાણે દેશના આપે છે હે ભવ્ય જીવો ! ચારે બાજુથી સળગી ઉઠેલા ઘરની જેવી સ્થિતિ હોય. તેવી જ આ વિવિધ પ્રકારના સંસારની સ્થિતિ છે. એટલે અહીં જેમ ઘરમાં અને તેની આજુબાજુ અગ્નિ સળગે છે, તેવી રીતે સંસારમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિ સળગી રહેલ છે. જેના ઘરમાં લાહ્ય લાગી હોય, તે ઘરવાળા જીવોને જેમ લગાર પણ શાંતિ ન હોય, તેમ સંસારી જીને પણ શાંતિ હોતી નથી. કારણ કે સંસારમાં તેઓને માંદગી કુટુંબનું પિષણ કરી વિગેરેનાં ઘણું દુઃખ ભોગવવા પડે છે. તેથી સંસારને દુઃખનું ઘર કહીએ તો પણ ચાલે. એટલે તેમ કહેવામાં લગાર પણ અતિશયોક્તિ (ગેરવ્યાજબી પણું) છેજ નહિ. આ વાતને બરાબર ધ્યાનમાં રાખીને સમજુ ભવ્ય જીવોએ લગાર પણ પ્રમાદ સેવવો ન જોઈએ. એટલે પ્રમાદને દૂર કરીને અપૂર્વ આનંદથી શ્રી જિનધર્મની નિર્મલ આરાધના કરવી જોઈએ. તેમાં યાદ રાખવું જોઈએ કે (૧) શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી કેવલિભગવંતે કહેલા ધર્મના શરણને અંગીકાર કરવું (૨) સુકૃત ( દાનાદિ) ની અનુમોદના કરવી અને (૩) દુષ્કતની ગë કરવી. એમ સાધનોની સેવન કરવાથી એટલે એ ત્રણે સાધનની નિરંતર વિચારણા કરવા પૂર્વક આરાધના કરવાથી તથાભવ્યપણું વિગેરે સાધને મળી શકે છે. અને તેથી પાપ કર્મ નાશ થાય છે, તેથી નિર્મલ ધર્મની આરાધના થાય છે. અને ત્યાર બાદ સંસારને જરૂર નાશ થાય છે. આ મનુષ્યપણું સહેજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy