________________
ઠસાવવા માટે અપૂર્વ મદદગાર નીવડે છે. વસ્તુસ્થિતિ આમ છે છતાં પણ અધમ પુરૂષ પરલેકને તરછોડીને ફક્ત આલોકના ફળની ચાહનાથી જ આરંભ કરે છે, અને પરિણામે દુઃખી થાય છે.
૩--વિમધ્યમ પુરૂષ બંને બાજુ લક્ષ્ય રાખે છે. એટલે ઉભય લોકમાં ફળ દેનારા એવા કાર્યને આરંભ કરે છે. કારણ કે તે પરલેકને પણ માને છે. - --મધ્યમ પુરૂષે પરલેકને સુધારવા માટે નિરંતર ક્રિયા કરે છે. એટલે અહીં ધર્મરાધનમાં કદાચ કષ્ટને પ્રસંગ વડે પડે, તો પણ તેઓ એમ વિચારે છે કે આથી મને ભવિષ્યમાં મહા લાભ છે. કારણ કે બીજાઓ એમ માને છે કે–ખાતે પતે રામજી મલે
હ-ખાતે પતે રામજી મલે તે મેરે કું બી કીજીએ પણ શીર સાટે મલે તે ચુપ કરી રહીએ. ૧.
પણ જૈન શાસન તેમ કહેતું જ નથી. તે તો એમ કહે છે કે
ભૂખે મારૂં મેંય સૂવાડું, માથામાં પાડું તાલ;
એમ કરતાં નવિ ચૂકે તો, પછી કરી દઉં ન્યાલ. ૧. આમ કહેવામાં મુદ્દો એ છે કે નિરંજન નિરાકાર સંપૂર્ણ અવ્યાબાધ સુખથી ભરેલા મુક્તિના સુખને પામવાની ઈચ્છાવાળા ધર્મરંગી ભવ્ય જીવોએ યથાશક્તિ તપ કર જ જોઈએ. અને મોટા ઉપવાસાદિ તપ કરવાના ટાઈમે આહાર લે જ નહિ. જે આહાર લેવાતું હોય, તે પછી ઉપવાસ કહી શકાય જ નહિ. માટે એક સમજુ મહા કવીશ્વરે કહ્યું પણ છે કે
શીરે પૂરી લાપસી––ઓર કાકડી આદિ,
કહેણું કી તે એકાદશી--દ્વાદશી કી દાદી. ૧ તથા પૂર્ણ વૈરાગ્યના રંગથી રંગાઈને ત્યાગી થયા પછી મોઝ શેખના સાધને સેવાય જ નહિ, એટલે છત્રી પલંગ ખાટલા વિગેરે પણ તેવા (મેઝશેખના સાધન) સમજીને સૂવા વિગેરે કારણે પલંગ વિગેરેને પિતાના કામમાં લઈ શકાય જ નહિ. અને તેમ કરે તેજ મુક્તિ પદને પામી શકાય. અને મરતક વિગેરેના વાળને લેચ કરે જઈએ. એ. પ્રમાણે યમ નિયમાદિનું એટલે મૂલ ગુણ ઉત્તર ગુણેની આરાધના કરવા રૂપ મેક્ષ માર્ગની સાધના કરે તે જ પરમપદ પામી શકાય. આવી દઢ માન્યતાવાળા સરલ અને સુલભ બધી મધ્યમ પુરૂષ પરમ ઉલ્લાસથી શ્રી જિનધર્મની સાધના કરીને પરભવમાં ચાલુ ઉત્તમ સ્થિતિ કરતાં પણ વધારે ચઢીયાતી ધર્મમય સ્થિતિને પામે છે. ૫. વિશિષ્ટ મતિને ધારણ કરનારા ઉત્તમ પુરૂષની અંતરંગ ભાવના એજ હોય છે કે હે જીવ! પ્રબલ પુણ્યના ઉદયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org