SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેથી તેમણે જાણ્યું કે મેં પાછલા ભવમાં મૌન એકાદશીની આરાધના કરી હતી, તેના પ્રતાપે અગીઆરમાં દેવલોકમાં મહદ્ધિક દેવ થયો હતો, ત્યાં ઘણે કાલ દેવતાઈ સુખ જોગવીને અહીં હું અગીઆર કોડ સોનૈયાને સ્વામી થયે. અહીં પણ મન એકાદશીની અને સંયમની સાધના કરીને કેવલજ્ઞાન પામીને મુક્તિમાં ગયા. ૪) આદ્રકુમાર પણ જાતિસ્મરણ જ્ઞાનથી પાછલા ભવની બીના જાણે છે. (૫) દેવલેકમાં તરતના ઉપજેલા દેવો અવધિજ્ઞાનથી જાણે છે કે અમુક ધર્મ કિયા કરવાથી હું દેવ થયે. આ બધી બીનાને દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરતાં જરૂર જણાશે કે વર્તમાન ભવની આગબને ભવ અને પાછળને ભવ છેજ. છતાં પરલોકને તરછોડીને વિષય કષાય વિગેરે પાપના સાધનેને સેવનારા જીવો અંતે તો જરૂર પસ્તાય છે. આ પ્રસંગે યાદ રાખવા જેવી જરૂરી બીના એ છે કે-એક મહાત્મા વ્રત નિયમ પરમાત્માનું ધ્યાન વિગેરે ધર્મારાધન કરવામાં સાવધાન રહેતા હતા. પરલોકને તરછોડનારા એક નાસ્તિક માણસે તે મહાત્માને પૂછયું કે તમે આ બધું શું કરે છે ? અને તે શા માટે કરો છો ? મહાત્મા--પરલેકને સુધારવાની ખાતર હું ધર્મની આરાધના કરું છું. નાસ્તિક--જ્યારે પરલેક જ નથી, તે પછી ધર્મને કરવાની જરૂરીયાત જ જણાતી નથી. મહાત્મા--પહેલાં કહ્યું તે પ્રમાણે બાલકની સ્તનપાન કરવાની તથા તરતના જન્મેલા પ્રભુ શ્રી તીર્થકર દેવની બીના અને તે પ્રસંગે સંસ્કારની ઘેરી વિગેરેને ખૂબ વિચાર કરતાં અને “પુણ: guથેન વાળા, પપ: gum વમળ” વિગેરે વચનનું રહસ્ય વિચારતાં જરૂર નિર્ણય થશે કે-પરલેક વસ્તુ છે જ. બીજા જીવને જેમ જુદી જુદી જાતની ટેવ હોય છે, તેમ મને પણ આ પ્રમાણે ધર્મક્રિયા કરવાની ટેવ પડી છે. એમ કદાચ કોઈ પણ માને તે પણ મને તે કંઈ પણ નુકશાન નથી, કારણ કે હું પાપ કર્મને સેવતો નથી. અને મને અડગ શ્રદ્ધા છે કે પાપના સેવનથી જ દુઃખ લેગવવું પડે છે. ( મહાત્મા નાસ્તિકને કહે છે કે ) તું તો પરલેક છે છતાં તેને માનતો નથી. ને સાચી માચીને વિષય કષાય વિગેરે દુર્ગતિના સાધનોને સેવે છે. પણ કદાચ પરલેક નીકળી પડ્યા, તે તારું શું થશે ? એટલે જરૂર તારે દુર્ગતિના દુઃખો રીબાઈ રીબાઈને ભેગવવાં જ પડશે. જો કે તારા જેવા ઘણાએ જીવો શ્રદ્ધા ગમ્ય વસ્તુને ખુલ્લી રીતે સ્વીકારવાની ના પાડે છે, પણ જ્યાં પિતાનો સ્વાર્થ બગડતો હોય, ત્યાં તો આનાકાની કર્યા વગર શ્રદ્ધા ગમ્ય વસ્તુને પણ સ્વીકારે જ છે કેમ ? તમને આ મારા કહેવામાં ગેરવ્યાજબી કંઈ લાગે છે? મહાત્માના આ વચનને સાંભળનાર નાસ્તિક માણસ સમજુ અને વિચારક હતો, તેથી તેને ખાત્રી થઈ કે-મારી માન્ય ભૂલ ભરેલી છે. અને પરલોકને સુધારવાને માટે જરૂર માટે પ્રયત્ન એટલે ધર્મારાધન કરવું જોઈએ. આ સંવાદમાંથી સમજવાનું એ મલે છે કે-પરલેકને માન જ જોઈએ, અને આ બાબતમાં જગતની વિચિત્રતા તરફ પણ જરૂર ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે પરલોકને સાબીત કરવામાં અને આ વાત બીજા પૂછનારા ને મનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy