SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [ શ્રી વિજયપઘસરિત કાળાન્તરે તે દેવે રાણી પુષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગદર્શન કરાવ્યું. રાજાએ પૂર્વની માફક આ બાબતમાં પાખંડીઓને પૂછી તેઓએ કહેલી બીના રાણેએ સ્વપ્નમાં જોયેલી બીના સાથે સરખાવતા મળતી ન આવવાથી રાજાએ છેવટે અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી સ્વર્ગનું સ્વરૂપ પૂછયું. જવાબમાં આચાર્ય મહારાજે જ્યારે સ્વર્ગનું સંપૂર્ણ સ્વરૂપ જણાવ્યું ત્યારે રાણીએ પૂછયું કે કયા કયા કારણથી સ્વર્ગ મળી શકે ? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે સમ્યકત્વ તથા સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મની આરાધના વગેરે કારણેની સેવન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ બીના સાંભળી રાણી લઘુકમી હોવાથી પ્રતિબધ પામી અને તેણે દીક્ષાગ્રહણ કરવા માટે રાજાની પાસે આજ્ઞા માગી, ત્યારે રાજાએ કહ્યું કે મારે ઘરે જ હંમેશાં ભિક્ષા ગ્રહણ કરવાની તું કબુલાત આપતી હોય તે ખૂશીથી દીક્ષા ગ્રહણ કર. રાણુએ તેમ કરવા કબૂલ કર્યું. ત્યાર બાદ મહોત્સવ પૂર્વક રાણેએ આચાર્યની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે ભણી ગણું ગીતાર્થ થઈ. એક વખત આચાર્ય મહારાજે શ્રુતજ્ઞાનના ઉપગથી જાણ્યું કે ભવિષ્યમાં અમુક વખતે દુકાળ પડશે, આ કારણથી તમામ સાધુસમુદાયને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યો, અને પિતે તે જંઘાની વ્યાધિને લઈને ત્યાં જ રહ્યા. આ વખતે પુષ્પચૂલા સાધ્વી અન્તપુરમાંથી ભાત પાણી લાવી આપતાં હતાં. સાધ્વી પુષ્પચૂલા આવા પ્રકારની ગુરૂભક્તિ ઉત્તમ ભાવનાથી કરતા હતા જેના પરિણામે એક વખત ક્ષપક શ્રેણિમાં ચઢીને મેહનીયાદિ ચારે ઘાતકર્મ હણી કેવળજ્ઞાન પામ્યા. આવી ઉચ્ચ કેટિને પામ્યા છતાં પણ તે સાધ્વી ( પુષ્પચૂલા ) ગુરૂ મહારાજનું વૈયાવચ્ચ (ગોચરી વગેરે ) પૂર્વની માફક કાયમ કરતા હતા. જ્યાં સુધી ગુરૂ મહારાજને “ આ કેવળી છે.' એમ જાણવામાં ન આવ્યું ત્યાં સુધી વૈયાવચાદિ શુશ્રષા ચાલુ રાખી. આ પ્રસંગે વ્યવહારની બીના એ સમજવાની છે કે “ કેવળી છતાં પણ વિનયને ચૂક્તા નથી. ” કેવલજ્ઞાનને પામેલાં સાધ્વી પુષ્પચૂલા ગોચરીના પ્રસંગમાં ગુરૂ મહારાજને જે જે પસંદ હોય તે તે લાવી આપે છે. એક વખત ચાલુ વરસાદમાં આ સાધ્વી ગેચરી લાવ્યાં, ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે હે મહાનુભાવ, તમે કુતજ્ઞાનને જાણે છે છતાં પણ ચાલુ વરસાદમાં ગોચરી કેમ લાવ્યા? આ બાબત કેવળજ્ઞાની સાધ્વીજીએ હાથ જોડીને જવાબ આપે કે હે ભગવન, જે રસ્તે અચિત્ત અપકાય વરસતે હતો તે જ માર્ગે થઈ હું ગેચરી લાવી છું, જેથી આ બાબતમાં લગાર પણ દોષાપત્તિ નથી. ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે આવી બીના છટ્વસ્થ કેવી રીતે જાણી શકે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે મને કેવળજ્ઞાન થયું છે. કેવલજ્ઞાન થયેલ જાણીને આચાર્ય મહારાજે વિચાર્યું કે મેં કેવલીની આશાતના કરી તેથી “મિચ્છામિ દુક્કડં? દેવો જોઈએ, એમ વિચારીને મિચ્છામિ દુક્કડં દીધો. ત્યારબાદ આચાર્ય ૧ જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય. મેહનીય અને અન્તરાય; આ ચાર કર્મો આત્માના નાનાદિ ગુણને વાત (નાશ) કરતા હોવાથી ઘાતકર્મ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy