SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ 1 પર્વ દેશની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેની રાજા ઈચ્છાનુસાર ઉપયોગ કરી શકે તે પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નના આપ માલિક ગણાઓ તેમાં તો નવાઈ જ શી ? આ બાબતમાં ગેરવ્યાજબીપણું છે જ નહિ. સભાજનોના આ શબ્દ સાંભળીને રાજાએ પોતાના વિચાર પ્રમાણે લગ્ન મહોત્સવની તૈયારી કરી, તે વખતે રાણી પુષ્પવતીએ આમ કરવાની ના પાડી છતાં રાજાએ પોતાનું ધાર્યું કર્યું. રાણું પુષ્પવતીને આ અગ્ય બનાવ જોઇને અને પિતાનું અપમાન થયેલું જાણીને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ જાગે. જેના પરિ ણામે તેણીએ સંયમ ગ્રહણ કરી તેની નિર્મળ સાધના કરી, દેવલોકની ઋદ્ધિ મેળવી. કાળાન્તરે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા બાદ કુંવર પુષ્પચૂલ રાજા થયે. હવે તે દેવે (પુષવતીના જીવે) અવધિજ્ઞાનથી આ બંનેનું અકૃત્ય જાણીને સ્વપ્નામાં પુષ્પચૂલાને ઘણું દુઃખથી રીબાતા એવા નારકીઓને દેખાડયા. આ જોઈ પુષ્પચૂલા જાગી ગઈ અને હૃદયમાં ભય પામી. તેણીએ પતિની આગળ એ બધી બીના જણાવી દીધી. રાણુના ભયને દૂર કરવા માટે પુષ્પચૂલ રાજાએ ઘણુએ શાન્તિકર્મ કરાવ્યાં, છતાં પણ તે દેવે હંમેશના નિયમ પ્રમાણે પુષ્પચૂલા રાણીને નરકના સ્વરૂપને દેખાડવાનો નિયમ છોડે નહી, એટલે તેણે સ્વપ્નમાં આ બીના જણાવવી ચાલુ રાખી. ત્યારે રાજાએ જૈન સિવાય અન્ય ધર્મવાળાએને બોલાવીને પૂછયું કે નરકસ્થાન કેવું હોય ? આના જવાબમાં કેટલાએક લોકેએ ગર્ભવાસને, કેટલાએક લેકેએ કેદખાનાને તેમજ કેટલાએક લેકેએ દરિદ્રતાને નિરાશાન ' તરીકે જણાવ્યું અને કેટલાએક લેકેએ પરાધીનપણું એ નરકસ્થાન છે એમ જણાવ્યું. આ બધી બીના સાંભળીને રાણી પુષ્પચૂલાને લગાર પણ સંતોષ થયે નહીં. કારણ કે સ્વપ્નમાં જોયેલા નરકાવાસની બીનાની સાથે આનો લગાર પણ મેળ મળતું ન હતું. છેવટે રાજા પુષ્પચૂલે જૈનાચાર્ય શ્રી અર્ણિકાપુત્ર મહારાજને બોલાવીને આ બીને પૂછી. તેમણે રાણુંએ સ્વપ્નમાં જેવું નરકનું સ્વરૂપ જોયું હતું તે જ પ્રમાણે નરકનું સ્વરૂપ જણાવ્યું. આ સાંભળી રાણીએ કહ્યું, કે હે ભગવન્! આપે પણ મારા જેવું સ્વપ્ન જોયું હોય તેમ લાગે છે, કારણ કે મારા સ્વપ્ન દર્શનમાં અને આપના કહેવામાં લગાર પણ તફાવત જણાતો નથી. આ બાબતમાં આચાર્ય મહારાજે કહ્યું, કે હે રાણી ! મેં કંઈ સ્વપ્ન જોયું નથી, પરંતુ પવિત્ર જેનાગમથી જાણીને આ બીના કહી છે. અવસરે પુષ્પચલાએ પૂછયું કે કેવાં કેવાં પાપકર્મો કરીને જીવે નરકમાં જાય છે ? ત્યારે ગુરૂ મહારાજે કહ્યું, કે હે રાણું ! પાંચ કારણને સેવનારા છો નરકમાં જાય છે. તે આ પ્રમાણે ૧ મહારંભ કરનારા, ૨ ધનવિષયમાં તીવ્ર આસક્તિ રાખનારા, ૩ ગુરૂની સાથે શત્રભાવ રાખનારા, ૪ પંચેન્દ્રિયને વધ કરનારા અને ૫ માંસ મદિરાનું ભક્ષણ કરનારા જીવો નરકાયુષ્ય બાંધીને નરકમાં ચાલ્યા જાય છે. ૪ રત્નપ્રભાદિ સાત નરકે છે. તેમાં રહેલા નારકીના છોને ત્રણ પ્રકારની વેદના ( ક્ષેત્રકૃત, પરમાધામિકકૃત. પરસ્પરકૃત વેદના ) ભોગવવાની છે. ઇત્યાદિ નરકેનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ બાબતનો વિસ્તાર શ્રી ભગવતીજી અને પ્રવચનસારહાર વગેરે ગ્રન્થોથી જાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy