SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જ [ શ્રી વિજયપધરત = છું. નેકરેએ આ બીના દેવદત્તને જણાવી. તેણે તે કબૂલ કર્યું. ત્યાર બાદ જયસિંહે ઉત્તમ દિવસે દેવદત્તને પોતાની બહેન પરણાવી. ત્યાર બાદ તે સ્થાને રહેતા એવા તે (દેવદત્ત)ની ઉપર એક વખત માતાપિતાને કાગળ આવ્યા. તે વાંચતાં તેની આંખોમાં આંસુ આવ્યાં. આ બનાવ જોઈને અર્ણિકાએ રડવાનું કારણ પૂછયું. જ્યારે આગ્રહ પૂર્વક પૂછતાં પણ કારણ ન જણાવ્યું ત્યારે પિતે કાગળ લઈ વાં. આ કાગળમાં માતાપિતાએ લખ્યું હતું કે હે પુત્ર! અમે બંને અંતિમ અવસ્થાને પામ્યા છીએ. જે તારે અમારાં છેલ્લાં દર્શન કરવાની ઈચ્છા હોય તે જલ્દી આવવું. આવી બીના વાંચીને અર્ણિકાએ પતિને આશ્વાસન આપ્યું અને પિતાના ભાઇને આગ્રહપૂર્વક સમજાવ્યું. જેથી તેણે બંનેને જવાની આજ્ઞા આપી. આ વખતે અર્ણિકા સગર્ભા હતી. પતિની સાથે અનુક્રમે ઉત્તર મથુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં અર્ણિકાએ એક પુત્રરત્નને જન્મ આપે આ બાળકનું નામ પાડવાની બાબતમાં “મારા વૃદ્ધ માતા પિતા નામ પાડશે” એમ દેવદત્ત પરિવારને જણાવ્યું, જેથી દાસ દાસી વગેરે એ બાળકને અણિકપુત્ર એમ કહીને બોલાવતા હતા. અનુક્રમે દેવદત્ત વગેરે પિતાના નગરમાં પહોંચ્યા અને વૃદ્ધ માતાપિતાને નમસ્કાર કરી તેમના ખોળામાં બાળક સ્થાપન કર્યો, દેવદત્તની વિનંતિથી એ બાળકનું નામ તેઓએ સંધીરણ પાડયું. તે પણ આ બાળક અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધિ પામે. અનુક્રમે ઉંમર વધતા અભ્યાસાદિના ક્રમે કરીને આ બાળક યૌવન અવસ્થાને પામ્યા. ઉત્તમ પુરૂષે કિપાક ફળના જેવા શબ્દાદિ' વિષયમાં લગાર પણ આસક્તિ રાખતા નથી, એમ અર્ણિકાપુત્ર પણ એ જ કેટિના હતા, જેથી તેમણે સાંસારિક વિલાને ઘાસની જેમ તુચ્છ ગણુને અને તેઓને ત્યાગ કરીને જયસિંહ નામના આચાર્ય મહારાજની પાસે પવિત્ર દીક્ષા ગ્રહણ કરી. કાલક્રમે તે ગીતાર્થ થયા અને આચાર્યપદ પામ્યા. અનુક્રમે વિચરતા વિચરતા ઘણો સમય વીત્યા બાદ વૃદ્ધાવસ્થામાં પોતાના પરિવાર સહિત તે અણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગા નદીને કાંઠે રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં પધાર્યા. આ વખતે ત્યાં પુષ્પકેતુ નામને રાજા રાજ્ય કરતું હતું. તેને પુષ્પવતી નામની રાણી હતી. રાણું પુષ્પવતીને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામની પુત્રી હતી. આ બંનેને યુગલ (જેડલા) રૂપે જ જન્મ થયે હતો. આ બંને ભાઈ બહેનને માંહમાંહે ઘણે પ્રીતિભાવ હતો. આ પ્રસંગ જોઈને રાજાએ વિચાર કર્યો કે આ બંને જે વિખુટાં પડશે તે જરૂર જીવી શકશે નહી અને હું પણ આ બંનેનો વિયેગ સહન કરી શકું તેમ નથી. માટે આ બંનેનો પતિ પત્ની રૂપે વિવાહ થાય તે ઠીક, એમ વિચારીને રાજાએ છલથી મંત્રી, મિત્ર અને નગરના લોકે વિગેરેને પૂછયું કે સભાજનો! અન્તઃપુરની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેના માલિક કોણ? આ પ્રશ્નને સભાજને જવાબ આપ્યો હે રાજન! ૧ પચે ઈન્દ્રિયોના પાંચ વિષયે-(૧) રૂપ, (૨) રસ, ( ૩ ) ગબ્ધ, (૪) સ્પર્શ, અને (૫) શબ્દ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy