SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ રાનાચિતામણિ ] ગુરૂએ સાધ્વીઓને કહ્યું કે—તમે ત્યાં જઈને તમારા મેટા ભાઈને વાંદે. હવે ત્યાં સિંહને ભય નથી. સાધ્વીઓએ ત્યાં ફરી જઈને જોયું તે તેઓએ પોતાના ભાઈને મૂલ રવરૂપે (સાધુ અવસ્થામાં) જેયા, વંદના કરીને નાનાભાઈ શ્રીયકની બીના જણાવીને સંશય દૂર કરીને તે સાધ્વીઓ સ્વસ્થાને ગઈ. ત્યાર બાદ સ્થૂલિભદ્રજી હંમેશના નિયમ મુજબ પરમ પૂજય યુગપ્રધાન શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજની પાસે ગયા. ત્યારે તેમણે શ્રીરઘુલિભદ્રજીને કહ્યું કે તું વાંચના લેવાને અયોગ્ય છું. (લાયક નથી) માટે તને ભણાવવામાં નહિ આવે. અચાનક શ્રીગુરૂ મહારાજનું આ વચન સાંભળીને યૂલિભદ્રજી વિચાર કરવા લાગ્યા કે–એવો તે મેં શો ગુને કર્યો કે જેથી ગુરૂજી મને વાચના લેવા માટે અગ્ય જણાવે છે, એટલે વાંચના દેવાની ના પાડે છે. વિશેષ વિચાર કરતાં યાદ આવ્યું કે મેં સિંહનું રૂપ કર્યું, તેથી વાંચના દેવાની ના પાડે છે. તેમણે આ ગુનાની માફી માગીને કહ્યું કે-હે ગુરૂજી ! આવું કામ ફરીથી નહિ કરું, ને કૃપા કરીને વાંચના આપે. ત્યારે ગુરૂએ કહ્યું કે તું યેગ્ય નથી.” આ બાબતમાં શ્રીસ્થૂલિભદ્રજીએ ગુરૂજીને મનાવવા માટે શ્રીસંઘને પ્રાર્થના કરી, ત્યારે તેમને ભણાવવા માટે શ્રીસંઘે ભદ્રબાહુ સ્વામી મહારાજને વિનંતિ કરી, ત્યારે ગુરૂજીએ સંઘને કહ્યું કે-શ્રતને મદ કરીને આણે (સ્થૂલિભદ્ર) આમ કર્યું, તેમ બીજા પણ કરશે, કારણ કે હવે પછી જ કાલના પ્રભાવે મંદ સત્વવાળા થશે. માટે તમે આ બાબતને આગ્રહ ન કરે. છતાં શ્રીસંઘે જ્યારે સ્થૂલિભદ્રજીને ભણાવવાને બહુ જ આગ્રહ કર્યો, ત્યારે ગુરૂજીએ શ્રુત જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે “મારાથી બાકીના પૂર્વ વિચ્છેદ થવાનું નથી. માટે યૂલિભદ્રને બાકીના પૂર્વે ભણાવું” એમ વિચારીને ગુરૂએ સ્થૂલિભદ્રજીને પ્રતિજ્ઞા કરાવી કે-“બાકીના પૂર્વે કોઈને ભણવીશ નહિ.” ત્યાર બાદ ગુરૂએ શેષ પૂર્વેની વાંચના આપી. અને ભણીને સ્થૂલિભદ્રજી ચૌદપૂવ થયા, બીજા ગ્રંથોમાં એમ કહ્યું છે કે છેલ્લા ચાર પૂર્વ સૂત્રથી ભણ્યા. આ સ્થૂલિભદ્રજી મહારાજ-પૂજય શ્રીસંભૂતિવિજય મહારાજના શિષ્ય થાય. યશોભદ્રસૂરિજી મહારાજના બે પટ્ટધર શિષ્યો હતા. તેમાં શ્રીભદ્રબાહુ સ્વામી અને સંભૂતિવિજયજીનાં નામ પટ્ટાવલીમાં ગણાવ્યા છે. આથી સહજ સમજાય છે, શ્રીસ્થૂલિભદ્રજીના ભદ્રબાહુ સ્વામી મહારાજ કાકા ગુરૂ થાય. શ્રીસંભૂતિવિજયજી મહારાજના ગૃહપર્યાય વિગેરેની બીના આ પ્રમાણે જાણવી-- ગૃહસ્થપર્યાય-વર્ષ ૪૨ શ્રમણ (યુગપ્રધાનપણાની પહેલાને) પર્યાય-વર્ષ–૪૦ વિ. નિ. સં -૧૪૮ માં યુગપ્રધાન થયા. ૮ વર્ષ યુગ પ્રધાન ભાવે વિચરીને ઘણું જીને પ્રતિબંધીને ૯૦ વર્ષનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy