SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮. [ શ્રી વિજયમધરાતિમુનિઓએ તે તે પ્રમાણે સૂરિજી મહારાજને કહ્યું, ત્યારે સૂરિજીએ કહ્યું કે પૂજ્ય શ્રીસંઘે તેમ ન કરવું. પણ મહેરબાની કરીને જે બુદ્ધિમંત સાધુઓ દષ્ટિવાદ ભણવાને લાયક હોય, તેમને અહીં મેકલવા. તેઓને હું હંમેશાં સાત વાચના આપીશ. તે આ પ્રમાણે–૧ એક વાંચના, આહાર લઈને આવ્યા પછી આપીશ. ૪ ત્રણ વાંચના ત્રણ કાળ વેળાએ આપીશ. ૭ અને ત્રણ વાંચન સાંઝનું પ્રતિક્રમણ કર્યા બાદ આપીશ. એમ કરવાથી શ્રી સંઘનું કાર્ય સિદ્ધ થશે. અને મારું ધ્યાન પણ ચાલુ રહેશે. સૂરિજી મહારાજના આ વચને બંને મુનિવરેએ શ્રીસંઘની આગળ કહી સંભળાવ્યાં, તેથી તે બહુ રાજી થયા અને શ્રી સ્થૂલિભદ્ર મહારાજ વિગેરે ૫૦૦ સાધુઓને ત્યાં ભણવા માટે મેકલ્યા. અહીં ગુરૂમહારાજ તે બધા સાધુઓને ભણાવવા લાગ્યા. તેમાંના કેટલાક સાધુઓના મનમાં એ વિચાર આવ્યા કે–આમ થોડી થોડી વાંચના આપે છે, તો આ દષ્ટિવાદ પૂરું કયારે થશે ? આવો વિચાર કરીને એક સ્થૂલિભદ્ર મહારાજ સિવાયના તમામ સાધુઓ ભણતા અટકી ગયા અને પાછા સ્વસ્થાને ગયા. શ્રીસ્થૂલિભદ્રજી મહારાજે પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામિજીની પાસે આઠ વર્ષમાં આઠ પૂર્વ સુધીને અભ્યાસ કર્યો. એક વખત સ્થૂલિભદ્રજીને ઉદાસ થયેલા જોઈને શ્રીભદ્રબાહુસ્વામિજીએ કહ્યું કે-હે વત્સ ! હવે મારું ધ્યાન છેડા વખતમાં પૂરું થવાનું છે. ત્યારબાદ તને તારી મરજી મુજબ ઘણી વાંચના આપીશ. સ્થૂલિભદ્રજી–હે ભગવંત! હવે મારે નવું ભણવાનું કેટલું બાકી રહ્યું છે? સૂરિજી–હે વત્સ! અત્યાર સુધીમાં તે બિંદુ (ટપુ) જેટલું ભર્યું, અને તારે હજુ સમુદ્ર જેટલું ભણવાનું બાકી છે. મહાપ્રાણાયામ ધ્યાન પૂરું થયા બાદ પૂજ્ય શ્રીભદ્રબાહુ સ્વામિજીની પાસે સ્થૂલિભદ્રજી મહારાજ બે વસ્તુ જેમાં ઓછી છે, એવા દશ પૂર્વ સુધી ભણ્યા. આ અવસરે શ્રી સ્થૂલિભદ્રજી મહારાજની બેન ‘યક્ષા વિગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે આવી. સૂરિજીને વંદન કરીને પૂછયું કે-હે પ્રભુ! સ્થૂલિભદ્રજી ક્યાં છે ? સૂરિજી–નાના દેવકુલમાં છે. એમ સાંભળીને સાધ્વીએ તે તરફ ચાલી. તેમને આવતી જોઈને ચૂલિભદ્રજીએ મદમાં આવીને આશ્ચર્ય દેખાડવાને માટે પોતાનું રૂપ ફેરવીને સિહનું રૂપ ધારણ કર્યું. તે સાધ્વીઓ સિંહને જોઈને ભય પામી. (બહીની) અને આ વાત સૂરિજી મહારાજને કહી, ત્યારે ગુરૂજી જ્ઞાનના ઉપયોગથી જાણી ગય' કે “ખાસ કારણ વિના શ્રતને મદ કરીને સ્થૂલિભદ્ર સિંહનું રૂપ કર્યું છે.” ૧ પૂર્વના અમુક વિભાગને વસ્તુ નામથી ઓળખાવી છે. ૨ સંસારિપણામાં યક્ષા વિગેરે બેન થાય, પણ સાધ્વી અવસ્થામાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy