________________
દેશના ચિંતામણિ ]
૧૪૯ ઉલ્લાસથી કેવલી કુરગડુક મુનિરાજને ખમાવતાં કેવલજ્ઞાન પામ્યા. અનુક્રમે પાંચ મુનિવરો મુક્તિપદ પામ્યા.
એ સારાંશ છે
મુનિરાજ કુરગડુકને પાછલા ભવમાં તિર્યંચગતિના દુ:ખ ભોગવવા પડ્યા. એમાં મુખ્ય કારણ એક જ હતું અને તે એ કે તપમદ. એમ વિચારીને પિતાનું ભલું ચાહનારા ભવ્ય જીવોએ આ તપને મદ ન કરે અને તેવા પ્રસંગે પિતાથી અધિક તપ કરનારા જીવોની અનુમોદના કરીને પિતાની લઘુતા ભાવવી.
૮ શ્રતમદ-બીજા જીવો કરતાં પિતાને જ્ઞાન ગુણ અધિક જોઈને એમ વિચારે કે દુનિયામાં મારા જેવો કઈ જ્ઞાની છે જ નહિ. આનું નામ વ્યુતમ કહેવાય. જેઓ ચુતમદ કરે, તેઓ ચાલુ ભવમાં નવું જ્ઞાન પામી શક્તા નથી. એટલે તેવો મદ કરનારા જીવને જોઈને ભણાવનાર ગુરૂ એમ નિર્ણય કરે છે કે આ જીવ ભણાવવાને લાયક નથી. આ બાબતમાં શ્રીસ્થૂલિભદ્ર મહારાજાની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– પાટલિપુત્ર નામના નગરમાં રહેનાર શ્રીશ્રમણસંઘે દુકાલના પ્રસંગે એમ વિચાર્યું કે હાલમાં બુદ્ધિમંત સાધુઓ પણ ન અભ્યાસ કરી શકતા નથી, અને ભણેલાની આવૃત્તિ (યાદી) પણ કરી શકતા નથી, તેથી ભણેલું જ્ઞાન ભૂલતા જાય છે. આ કારણથી હવે સિદ્ધાંતને ઉદ્ધાર કરે ઉચિત છે. એમ વિચારીને શ્રીસંઘે અગીયાર અંગના અધ્યયન વિગેરે જે હતા, તે બધા મેળવ્યા. છેવટે વિચાર કર્યો કે હવે દષ્ટિવાદને કઈ રીતે મેળવે? આમાં સંઘે છેવટને નિર્ણય એ કર્યો કે-શ્રુતકેવલી શ્રીભદ્રબાહસ્વામી મહારાજ હાલ નેપાલ દેશમાં છે તેઓ દષ્ટિવાદને જાણે છે, માટે તેમને અહીં બોલાવવા. આ ઈરાદાથી તેમણે ત્યાં બે મુનિવરેને મેકલ્યા. તે બંને મુનિઓએ પૂજ્યપાદ શ્રીભદ્રબાહુસ્વામિજી મહારાજને કહ્યું કે હે પ્રભુ! આપ પાટલિપુત્ર નગરમાં પધારો, એમ શ્રીસંઘ ફરમાવે છે. બંને મુનિના આ વચનેને સાંભળીને શ્રીસૂરિજી મહારાજે કહ્યું કે હાલ મેં મહાપ્રાણાયામ ધ્યાનની શરૂઆત કરી છે, તે બાર વર્ષ પૂરું થશે, તેથી હું હાલ આવી શકું તેમ નથી. આ મહાપ્રાણાયામ ધ્યાનને પ્રભાવ એવો છે કે તે સિદ્ધ (પૂરું) થયા બાદ જરૂરી કાર્ય પ્રસંગે ચૌદ પૂર્વે સૂત્ર અને અર્થ સહિત એક મુહૂર્ત જેટલા (ડા) કાલમાં પણ ગણું શકાય. સૂરિજી મહારાજના આ વચનો બને સાધુઓએ શ્રીસંઘને કહ્યાં. ત્યાર બાદ શ્રીસંઘે બીજા મુનિવરોને બોલાવીને કહ્યું કે તમારે નેપાલ દેશમાં જઈને શ્રીભદ્રબાહુસ્વામી મહારાજને કહેવું કે જે શ્રીસંઘની આજ્ઞા ન માને તેને શે દંડ કરવો જોઈએ, તે આપ ફરમાવો. જ્યારે જવાબમાં સૂરિજી મહારાજ કહે કે એવાને સંઘ બહાર કરવો જોઈએ. ત્યારે તમારે કહેવું કે હે ગુરૂજી! આપ પોતે તેવા દંડને લાયક થયા છે. આ પ્રમાણે શ્રીસંઘના કહ્યા મુજબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org