SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ [ શ્રા વિજયપદ્મસૂરિષ્કૃત કરતા હતા, તે ૧૪ રત્ન ૯ નિધિ વિગેરે ચક્રવર્તિ પણાની વિવિધ ઋદ્ધિને ભાગવતા હતા. વળી પૂના વૈરને અંગે આ ચક્રવર્તિએ ૨૧ વાર બ્રાહ્મણુ રહિત પૃથ્વી કરી. પોતે છ ખંડના માલિક હાવા છતાં એથી પણ વધારે ઋદ્ધિ મેળવવાના લાલે તેણે ધાતકી ખંડના ભરતક્ષેત્રને જીતવાના વિચાર કર્યો. તે વખતે દેવ અને વિદ્યાધર વિગેરે ઘણા લેાકેાએ સમજાવ્યે કે અનન્ત ચક્રવતીએ વ્હેલાના કાલમાં થઈ ગયા તે બધા ૬ ખંડના જ માલિક થયા છે અને ભવિષ્યમાં જે અનન્ત ચક્રવર્તીએ થશે, તે પણુ બધા છ ખંડના જ માલિક થશે. કાઇ ભરતક્ષેત્રને છેાડી ધાતકો ખંડના ભરતક્ષેત્રને જીતવા ગયા નથી જતા નથી અને જવાના પણ નથી, માટે તમારે આ વિચાર અનાદિ કાલની જગતની સ્થિતિને અનુસરતા નથી. વિગેરે વિગેરે ઘણું સમજાવવા છતાં પોતાના વિચાર ન બદલતાં સ સૈન્ય સહિત લવણુ સમુદ્રના કિનારે આવી પેાતાના કર સ્પર્શથી ચરત્નને વિસ્તારી સર્વ સૈન્યને તેમાં બેસાડી લવણુ સમુદ્રની સામી પાર જવા લાગ્યા. તેટલામાં રત્નને ઉપાડનાર અધા દેવાએ એકી વખતે પાત પેાતાના મનમાં આવે! વિચાર કર્યો કે આ રાજાના ઘણા સેવક છે તેા હુ' એકલેા ખસી જઇશ તે! શું થવાનુ છે ? એવા બધા દેવેાના સમકાળે એક સરખા વિચાર થતાં ચર્મરત્ન બધા દેવાએ છેડી દીધુ, તેથી ચક્રવતી અને બધુ સૈન્ય લવણુ સમુદ્રમાં ડૂબી ગયું. ને આ સુભૂમ ચક્રી પણ આ લાભના અભિમાનમાં મરીને સાતમી નરકે ગયા. આ દષ્ટાંતમાંથી સમજવાનું એ કે તૃષ્ણા એ આકાશના જેવી વિશાળ છે. અને તેનો છેડા આવતા જ નથી. કારણ કે જેમ જેમ લાભ વધે, તેમ તેમ લેાભ વધતા જ જાય છે. પાંચ રૂપિયાના લાભ થાય, ત્યારે દશની ઈચ્છા જાગે છે. એમ આગળ આગળ તૃષ્ણા વધતી જ જાય છે. હાય-હોમ આ બેમાં ફરક એ છે કે લેાભ શબ્દમાં એક માત્રા વધારે છે. આથી સાખીત થાય છે કે લાભ વધતાં લેાભ જરૂર વધે છે. લેાભ શબ્દને અવળા કરીએ તે “ ભલેા” આવા શબ્દ થાય છે. એમાંથી સમજવાનું મળે છે કે લાભના ત્યાગ કરે તે ભલેા કહેવાય. અને મદ ન કરતાં ધાર્મિક કાર્યોમાં લક્ષ્મી વાપરવી. આ પ્રસંગે બાકીના ૧૧ ચક્રવત્તિની બીના ટૂંકામાં ૧૪ દ્વારામાં જાણવા જેવી છે તે આ પ્રમાણે-(૧) નામ (૨) જન્મસ્થાન (૩) પિતા (૪) માતા (૫) આયુષ્ય (૬) દેહપ્રમાણુ (૭) કુમારાવસ્થા (૮) રાજ્યાવસ્થા (૯) દિગ્વિજયની મુદ્દત (૧૦) ચક્રવૃત્તિપણાનાં વર્ષ (૧૧) સ્રીરત્નનું નામ (૧૨) વૈરાગ્ય આદિ ને તેનુ નિમિત્ત (૧૩) મેક્ષમાં દેવમાં કે નરક ગતિમાં (૧૪) કયા તીર્થંકરના વારામાં થયા ? એ ૧૪ મામતા દરેક ચક્રવતિની બાબતમાં યાદ રાખવી. ૧ ભરત ચક્રવતી—૧ ભરત ચક્રવતી, ૨ વિનિતા નગરીમાં જન્મ, ૩ ઋષભદેવ પિતા, ૪ સુમંગલા માતા, ૫ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, ૬ પાંચસેા ધનુષ્યની કાયા, છ સિત્ચાત્તર લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થા, ૮ એક હજાર વર્ષ સુધી મંડલિક રાજાપણું, ૯ સાઠ હજાર વર્ષ સુધી દેશની સાધના કરી, ૧૦ એક હજાર વર્ષ ન્યૂન ૧૨ લાખ પૂર્વ Jain Education International For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy