________________
૧૩૬
[ શ્રી વિજ્યવસતિવ્યસન બિલથી વિષમ આ સંસાર કારાગારને,
જોઈ ક્યારે પણ ન હવે પ્રેમ સમજી મનુષ્યને. ૧૮૧
અર્થ –સંસારની અંદર સ્ત્રીને પ્રેમ નિગડ એટલે બેડીના જે છે, કારણ કે બેડીમાં સપડાએલા મનુષ્યથી જેમ નીકળી શકાતું નથી તેમ આ સ્ત્રીના પ્રેમરૂપી અદશ્ય (ન દેખાય એવી) બેડીમાં સપડાએલા જીવોથી પણ ધર્મકાર્ય બની શકતું નથી. વળી સ્વજને એટલે કુટુંબીઓ સુભટ એટલે લડવૈયા સમાન છે. કારણ કે જેમ લડવૈયાઓ જેલનું રક્ષણ કરે છે અને કેદમાં પુરાએલા જીવને નાશી જવા દેતા નથી તેમ કુટુંબીજને પણ સંસારરૂપી કેદખાનામાંથી નીકળવા ઈચ્છતા જીવને નાશી જવા દેતા નથી. દ્રવિણ એટલે પિસો બંધન સરખો છે, કારણ કે જેમ બંધનમાંથી છૂટવું મુશ્કેલ છે તેમ મહી ને પૈસાનો ત્યાગ કરે ઘણું મુશ્કેલ છે તેથી જ પૈસાને અગિઆરમાં પ્રાણના જેવો કો છે. તથા વ્યસન એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપી સંકટથી ભયંકર એવા આ સંસારરૂપી કેદખાનાને જોઈને સમજદાર મનુષ્યને તો તેને વિષે કદાપિ પણ પ્રેમ હોતે જ નથી. ૧૮૧
સંસારને કેદખાનાની સાથે સરખાવે છે –
ચાર વાનાં મુખ્ય કારાગારમાં જિમ તિમ ઈહાં,
બેડી સુભટ બિલ બંધનો એથી જરાએ સુખ કિહાં; કચરા સમા સંસારમાં શું સાર ડુંગરી લસણમાં,
હોય શું કપૂર કેરી ગંધ સમજે શાનમાં. ૧૮૨. અર્થ–સંસારને કારાગાર એટલે કેદખાનાની ઉપમા શા માટે આપી તે જણાવે છે–જેમ કેદખાનામાં સ્થલ દષ્ટિએ ચાર વસ્તુઓ મુખ્ય હેાય છે. ૧ બેડી, ૨ સુભટ, એટલે કેદખાનાના રખવાળ, ૩ બિલ એટલે ખાડા ખળીયા, ૪ બંધન, આ ચાર વસ્તુ, એને લઈને જેમ કેદખાનામાં જરા પણ સુખ હોતું નથી તેમ કેદખાનાના જેવા સંસારમાં પણ સુખ કયાંથી હોય ? અથવા નથી જ. અથવા કચરા સમાન આ સંસારમાં સારી શું હોય ? ન જ હેય. કારણ કે કચરો જેમ નકામે છે, અથવા ફેંકી દેવા જેવો સાર વિનાનો છે તેમ આ સંસાર પણ જાણ. શું ડુંગરી અને લસણમાં કદાપિ પણ કબ્રની. ગંધ હોય ? નજ હોય, કારણ કે તે દુર્ગધથી ભરેલી છે, તેમ સંસારમાં પણ ખેની દુધ ભરેલી છે. સુખની સુગંધ લગાર પણ છેજ નહિ. માટે હે ભવ્ય ! તમે શાનમાં એટલે
ડું કહેવા વડે સમજી જાઓ. કારણ કે આ બાબત ઘણું કહ્યું અને હજુ પણ જરૂરી જણાવીશું. ૧૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org