________________
દેશના ચિંતામણિ ]
૧૩૧ જતાં લેટ જોઈએ, તે કરતાં વધારે મળ્યો, તે લોટ ભીક્ષા પાત્રમાં ભરી રાખી રાત્રે કઈ મંદિરના ઓટલા પર સૂતો છે તે વખતે સૂતાં સૂતાં શેખચલ્લીની માફક વિચાર કરવા લાગ્યું કે આજે આ વધારાને લોટ મળે છે, તેને આવતી કાલે ગામમાં વેચી જે પૈસા આવશે તે સંઘરી રાખીશ. અને કેટલાક દિવસ સુધી આજની માફક વધારે લોટ મળતાં તે વેચી વેચીને હું ઘણું ધન ભેગું કરી, તે વડે એક દુકાન માંડીશ, તે દુકાનમાં સારે ધંધે ચાલતાં હું ધનવાન થઈશ, ત્યારે એક સ્ત્રી પરણીશ, તે મારી સ્ત્રીને એક છોકરો થતાં તે માટે થશે ત્યારે દુકાને આવી કહેશે કે “બાપા જમવા ચાલો” તથા સ્ત્રી અને પુત્ર મારૂં કહ્યું નહિ માને, અને મારી સામું બેલશે, તે હું આમ એક લાત મારીશ, આ વિચારમાં ને વિચારમાં તેણે ખરેખર એક લાત લગાવતાં લોટના વાસણ ( તાંબડી વટલોઈ) ને લાગી તેથી સઘળો લોટ એટલા ઉપરથી નીચે પડી વેરાઈ જતાં ધુળ ભેગે થઈ ગયો તે સાથે આ બ્રાહ્મણના બધા મને રથો ધૂળ ભેગા થઈ ગયા. અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર એ લેવો કે–આવા વિચારવાળા અને તે શેખચલ્લીઓ જાણવા. એ રીતે સંસારમાં પણ હું આમ કરીશ હું તેમ કરીશ વિગેરે ભાગ્ય અને ગજા વિનાના મોટા મેટા હવાઈ વિચાર કરનારા સંસારી જીવો પણ ઉપર કહેલા શેખચલ્લી બ્રાહ્મણની જેવા જ જાણવા, કારણ કે જીવનું ધાર્યું કંઈ બનતું નથી, ધારે કંઈ ને થાય કંઈ, માટે એવા શેખચલ્લી સરખા બેટા મનોરથ ભાવવા એ એક મૂર્ખાઈ જાણવી.
આ બાબતમાં બીજું પણ દષ્ટાન્ત છે તે આ પ્રમાણે
એક વાઘરી વનમાં જઈ મધપૂડે પાડી મધને ગાડે ભરી શહેરમાં વેચવા જાય છે. રસ્તામાં ચાલતાં ચાલતાં વિચાર કરે છે કે આ મધને ગાડે વેચતાં જે પૈસા આવશે તેનાં હું ઇંડાં લઈશ, તેમાંથી મરઘીનાં બચ્ચાં થશે. તે વેચી એક બકરી લઈશ, તે બકરી વિઆશે, ત્યારે તેનાં બચ્ચાં થશે, તે વેચી એક ગાય લઈશ, જમીનમાંથી થતા વરસો વરસના અનાજ વિગેરેને વેચી જે ધન ભેગું થશે તેની એક બાયડી લાવીશ. તે બાયડીને છોકરાં થશે અને મને જમવા બોલાવવા આવશે ત્યારે કહેશે કે–બાપા ખાવા ચાલો ત્યારે હું આમ ડોકું ધુણાવીશ (ના કહીશ) આ વિચારમાં તેણે ખરી રીતે ડોકું ધુણુંવતાં મધને ગાડો જમીન પર પડી ગયે, ને મધ ઢોળાઈ જઈ ધૂળ ભેગુ થયું અને એ શેખચલ્લી વાઘરીના પણ સર્વ મનેર-વિચારો ધૂળ ભેગા થઈ ગયા. એ પ્રમાણે સંસારી જીના “હું આમ કરીશ ને હું તેમ કરીશ” વિગેરે વિચાર પણ એ શેખચલ્લી વાઘરીના જેવા જાણવા. ૧૭૨
એજ હિતશિક્ષાને જ પ્રસંગ ચાલે છે – - નરકાદિ દુર્ગતિમાં ઘણા સંસારને આ નાખતા,
દુઃખ નિગોદ તણાં અનન્તાં બહુ સમય તે આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org