SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિશ્વારિકૃત ફસાએલ છે ક્ષણમાં હસે છે ક્ષણમાં નાચે છે અને ક્ષણમાં રડવા માંડે છે, વળી. આત્મહિતનું ભાન ભૂલવાથી સત્ય દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધાને તથા વ્રતની સાધનાને ત્યાગ કરે છે. અને જે વ્રત લીધેલાં હોય તેને મલીન કરે છે એટલે દૂષણે લગાડી બરોબર પાળતા નથી. હે ભવ્ય જ ! તમે આ બધા મેહ રાજાના જુલમો જ છે એમ જાણજે. ૧૬૦ રતિ અતિ ભય શેક ધારે ને દુગછા પણ કરે, | વેદને પરવશ બનીને મિથુને રતિ પણ ધરે, આશા ગુલામી આદરી ઉન્મત્તની પેરે ફરે, મદિરા સમા એ મેહ કેરા જાણવા ચાળા ખરે. ૧૬૧ અર્થ–વળી આ મહિને વશ પડેલા સંસારી જીવો ઘડીકમાં રતિ એટલે પ્રીતિ કરે છે અને ઘડીકમાં અરતિ એટલે અપ્રીતિ કરે છે. વળી ભય એટલે બીકને અને શેક એટલે દીલગિરીને ધારણ કરે છે તથા દુર્ગ છા એટલે જુગુપ્સા (અશુરિ પદાર્થ જોઈને મેં મરડવું અથવા નાક ચઢાવવું તે) કરે છે. તથા વેદ એટલે વિષયભેગના અભિલાષને પરાધીન થઈને મિથુનમાં એટલે કામક્રીડામાં પણ રતિ એટલે પ્રીતિ કરે છે. વળી આશા એટલે વિવિધ પ્રકારની અભિલાષાને વશ થઈને તેની ગુલામી કરે છે, અને એ રીતે આશાને દાસ બનીને ઉન્મત્તની એટલે ગાંડાની પેઠે ફર્યા કરે છે. આ બધા મદિરા એટલે દારૂ સરખા મેહનીય કર્મને ચાળા (ચેષ્ટાઓ) જાણવી. જેમ મદિરા પીનારને પોતાના હિતાહિતનું ભાન રહેતું નથી, જેમ તેમ બકવાદ કર્યા કરે છે અને લથડીયાં ખાયા કરે છે તેમ મેહનીય કર્મના ઉદયથી પણ જીવનની આવી અવસ્થા થાય છે માટે “મ ા મોદી” એ વચનથી કર્મને શાસ્ત્રમાં મદિરા સરખું કહ્યું છે. ૧૬૧ અજ્ઞાની જનને મહરાજા વિવિધલાલચ આપતે, તિમ બનાવી દાસ જેવાં નીચ કામ કરાવતે મેહ સંસારી તણું અજ્ઞાન ભૂરિ વધાર, તેઓ કરે તિણ અતિશયે વ્યાપાર જે અણછાજતો. દુર અર્થ– આ મોહ રાજા અજ્ઞાની મનુષ્યોને જુદા જુદા પ્રકારની અનેક લાલ આપે છે અને તેમને પોતાના નેકર જેવો બનાવીને તેમની પાસે નીચ એટલે અધમ અથવા નહિ કરવા યોગ્ય કામે કરાવે છે. વળી આ મેહનીય કર્મરૂપી રાજા સંસારી જીમાં ઘણું અજ્ઞાન વધારે છે તેથી તેને સાચા ખોટાની સમજણ જ પડતી નથી. તેથી તેને વશ થયેલા તે છ અણછાજતે એટલે પિતાને કરે ન ઘટે તે અને ઘણા અશુભ કર્મબંધને કરાવે તે વ્યાપાર બંધ કરે છે. ૧દર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy