SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતઅર્થ –આ સંસારમાં સઘળા જીવ એકલા આવ્યા છે. એટલે તેમને જન્મ થયો ત્યારે ધન, દેલત કે વસ્ત્ર વગેરે સાથે લઈને આવ્યા નથી. અને મરતી વખતે પણ સાથે કંઈ આવવાનું નથી એટલે અનેક પ્રકારે છળ પ્રપંચ કરીને ગમે તેટલું ધન, મોટર, બંગલા વિગેરે બંધાવ્યા હશે તે પણ તેમાંનું કાંઈ પણ લીધા સિવાય જેવા આવ્યા હતા તેવા જ જવાના છે. તેમજ તમે કેઈના નથી એટલે આ સંસારમાં સ્ત્રી, પુત્ર, પિતા, માતા, ભાઈ બહેન વગેરે સગાઈન જે જે સંબંધે છે તે તમામ ખોટા છે, કારણ કે તેમાંના કેઈના તમે ખરા સગા નથી, તેમજ તમારૂ પણ કઈ ખરૂં સગું આ સંસારમાં થવાનું નથી. કારણ કે જે દુઃખ ઉદયમાં આવે છે તે તમારે એકલાને જ જોગવવાનું છે. તેમાંથી લગાર પણ દુ:ખ કે તમારા વતીનું ભેગવવાનું નથી. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણથી યુક્ત એ જે આત્મા છે તેજ તમારે છે અથવા તમે આત્મ સ્વરૂપ જ છો. અને બાકીના આ શરીર વિગેરે સર્વ પદાર્થો છે તે સર્વ તમારાથી જૂદા જ છે. માટે તે આત્માને તથા તેના જ્ઞાનાદિ ગુણને જ નિત્ય તરીકે જાણવા યોગ્ય છે. બાકીના તમામ પદાર્થો આત્માથી બાહ્ય છે એટલે જૂદા છે એમ જાણવું. ૧૫૬ દુઃખને આપનારા સંગને છોડવાનું કહે છે -- સંગ લક્ષણ તે પદાથે દુઃખ સહ્યા સાગથી, ભવમાં અનંતી વાર ભવ્ય જનો તમે કટ મોહથી; સંયોગ સંબંધ ન રાચો વિબુધ છેડી રત્નને, શું કાચ લઈને રાચશે? ઝટ છોડ અજ્ઞાનને. ૧૫૭ અર્થ:–દુઃખનું મૂલ સંયોગ છે, અને તે સાંસારિક પદાર્થોના સંયોગથી આ સંસારમાં તમે અનંતી વાર દુઃખને સહન કર્યા છે કહ્યું છે. કે સંઘોમૂત્રા વેબ પત્તાસુપરંપરા (શરીર આદિ સંગ એજ જેનું મૂળ કારણ છે એવી દુઃખની પરંપરાને આ છે ઘણુ વાર પામ્યા છે. ) માટે હે ભવ્ય જન ! તમે તે કૂડ કપટવાળા મેહના સંયોગથી સંબંધથી રાજી થાઓ નહિ. કારણ કે તેનાથી તમે ભૂતકાળમાં ઘણું દુ:ખ સહન કર્યું છે અને હજુ પણ એથી તમારે ભવિષ્યમાં ઘણું સહન કરવું પડશે માટે એવા સગવાળા સંબંધમાં રાચશે નહિં. શું વિબુધ એટલે પંડિત પુરૂ રત્નને મૂકીને અને કાચને મેળવીને રાજી થાય ? અર્થાત્ પંડિત પુરૂષ કાચ મેળવીને રાજી ન જ થાય. માટે હે ભવ્ય જીવો ! તે મહથી વધેલા અજ્ઞાનને તમે ત્યાગ કરો. ૧૫૭ અનાદિ કાલથી સંસારમાં લડાઈ કોની થયા કરે છે? તે જણાવે છે -- સંસાર રણભૂમી વિષે ચાલે અનાદિ કાલથી, ચારિત્ર નૃપનું મોહ નૃપનું યુદ્ધ પૂરા જેસથી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy