________________
દેશનચિંતામણિ ].
માળાના મણકા હોય અને મન કઈ ભટકતું હોય અને મેઢેથી જાપને બદલે બીજી જ વાત થતી હોય તે એવી ભિન્ન કિયાવાળા ભેગથી પૂરેપૂરું ફળ મળતું નથી. આ આશયથી કહ્યું છે કે ધર્મની સાધનામાં યોગની એકાગ્રતાની ખાસ જરૂર છે, કારણ કે ગની એકાગ્રતાથી જ સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સાધકની સાધનામાં ફલન જે તફાવત છે, તે યોગની વિષમતાથી જ સમજે. બાકી સાધ્ય હંમેશાં મૂલ સ્વરૂપમાં જ એક સરખું જ છે. માટે હે ભવ્ય છે ! તમે જિનધર્મની સાધનામાં વેગની અત્યંત એકાગ્રતા રાખજો. ૧૫૪
ક્યા જીને તે લૂંટાર લૂંટતે નથી? આ પ્રશ્નનો જવાબ આપે છે – પૂર્ણભાવે ધર્મને પામેલ લુંટાએ નહી,
તેવા જનો તને મૂલ ચિંતા કામની ન કરે સહી; સંકલ્પના યેગે જ હવે કામ પ્રકટ વિચારતા,
નિજ સાધ્ય બિંદુ સાચવીને સાધ્ય સિદ્ધિ સાધતા. ૧૫૫ અર્થ:–જેઓ સંપૂર્ણપણે શ્રીજિન ધર્મને પામેલા છે અથવા જેઓએ ધર્મ યથાર્થપણે જાણે છે તેવા ધમી જનેજ કામદેવ રૂપી લૂંટારાથી લૂંટાતા નથી. કારણ કે તેઓએ તે કામરૂપ લુંટારાની ઉત્પત્તિનું મૂળ જે ચિતા એટલે સંકલ્પ વિકલપો તેને નાશ કર્યો છે. તેથી તેવા ધમ મનુષ્યો કામની ચિંતા (વિચારણા) સરખી પણ કરતા નથી, પણ કામ ઉત્પન્ન થવામાં તેનું મૂળ કારણ શું છે? તેની વિચારણા કરી તે મૂળને જ દૂર કરવા પ્રયત્ન કરે છે, તેઓ પ્રગટ પણે વિચારે છે કે સંકલ્પના ચેગથી કામ ઉત્પન્ન થાય છે. અથવા કામની ઉત્પત્તિનું સ્થાન મન છે. તેથી કામને મનસિજ અથવા મને જ અથવા સંકલ્પનિ કહેવામાં આવે છે. તેથી એવા કામને જિતવા માટે મનને કબજે ( તાબામાં ) રાખવાની જરૂર છે. આ પ્રમાણે વિચારીને પોતાનું સાધ્ય બિન્દુ એટલે જે ધર્મને સાધવાનું લક્ષ્ય છે તેજ તરફ ધ્યાન રાખીને સાધ્યની સિદ્ધિ મેળવે છે, એટલે જ્ઞાન દર્શનાદિ ક્ષમાર્ગ એ જ સાધ્યને સિદ્ધ કરે છે. એમ સમજીને તે ત્રણેની નિર્મલ આરાધના ઉલ્લાસથી કરે છે. ૧૫૫
પ્રભુજી ભવ્ય જીવોની સાચી આત્મસ્થિતિ જણાવે છે – સંસારમાં સવિ એકલા આવ્યા અને તેવા જશે,
કાઈના ન તમે તમારું કઈ ભવમાં ના થશે, એક આતમ છે તમારે યુક્ત જ્ઞાનાદિક ગુણે,
નિત્ય જાણે બાધ તેથી સર્વ શેષ પદાર્થને. ૧૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org