SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાધનતા જ્ઞાન એટલે આ ગ્રંથ ભણવાથી મને અર્થનું જ્ઞાન વિગેરે લાભ થશે. અને (૨) કૃતિ સાધ્યતા જ્ઞાન એટલે આ ગ્રંથને હું ભણું શકીશ. એમ ઈષ્ટ સાધનતા જ્ઞાન અને કૃતિ સાધ્યતા જ્ઞાન થાય છે. ત્યાર બાદ અધિકારી ને શાસ્ત્રને ભણવું વિગેરે પ્રવૃત્તિ થાય છે. એમ “ પ્રવૃત્તિકનશાનનનવાજ્ઞાનવિપત્વિમનુવંધતુષ્ટોત્વમ” આ અનુબંધ ચતુષ્ટયના લક્ષણ ઉપરથી જાણી શકાય છે. આમ કહેવાનું સ્પષ્ટ અને સરલ રહસ્ય એ છે કે કઈ પણ ગ્રંથનું અધ્યયન વિગેરે કરતાં પહેલાં સમજણના ઘરમાં રહેલા જિશાસુને તે તે ગ્રંથની બાબતમાં હૃદયમાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે (થાય છે) કે-(૧) આ ગ્રંથનું નામ શું ? (૨) આ ગ્રંથમાં નામ પ્રમાણે અર્થ ઘટે છે કે ગ્રંથકારે મરજી પ્રમાણે નામ પાડયું છે. (૩) આ ગ્રંથ કયા કયા પદાર્થોના સ્વરૂપને જણાવે છે. (૪) ગ્રંથકારે ક્યા શાસ્ત્રને અનુસારે કઈ પદ્ધતિએ કયા મુદ્દાથી અહીં પદાર્થોનું વર્ણન કર્યું છે, (૫) ગ્રંથ ભણવામાં લાભ શો ? (૬) શરૂઆતમાં ગ્રંથકારે મંગલ કયું છે તેનું શું કારણ? (૭) ઇષ્ટદેવ નમસ્કાર મંગલ–આશીર્વાદ મંગલ વિગેરે ત્રણ પ્રકારના મંગલમાંથી અહીં કયું મંગલ કર્યું છે. (૮) ગ્રંથકાર કેણ ? (૯) તેમણે કઈ સાલમાં ક્યા સ્થલે ગ્રંથની રચના કરી ? વિગેરે પ્રશ્નોના ખુલાસા કરવા રૂપે જરૂરી બીના જણાવવી, અને તે ઉપરાંત ગ્રંથનો ટુંક સાર પણ જણાવવો એ પ્રસ્તાવનાને મુખ્ય મુદ્દો છે, એટલે જેમાં ચાર અનુબંધની બીના વિગેરે વર્ણન હોય, તે પ્રસ્તાવના કહેવાય જે ગ્રંથની ઉપર પ્રસ્તાવના લખવાની હોય, તે આખાએ ગ્રંથની વસ્તુ અને ગ્રંથકારને પરિચય-પદાર્થ તત્વને મુદ્દો વિગેરે બાબતને શરૂઆતમાં દીર્ધદષ્ટિથી વિચાર કર્યા બાદ લેખક પ્રસ્તાવનાને લખવાને આરંભ કરે છે, એટલે પ્રસ્તાવના લખવાના અવસરે લેખકને ઉપર જણાવેલી બીના તરફ જરૂર લક્ષ્ય રાખવું પડે છે. બુદ્ધિશાલી મધ્યસ્થ વાચક વર્ગને આ વાત ધ્યાનમાં જ હોય છે. તેથી જ તેઓ ગ્રંથની વસ્તુ સંક્ષેપમાં સમજવાને માટે શરૂઆતમાં પ્રસ્તાવનાને વાંચે છે. આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે પ્રસ્તાવના વિનાને ગ્રંથ અધુરો જ ગણાય. આથી સહેજે સમજાશે કે દરેક ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવના હોવી જ જોઈએ. આ નિયમ પ્રમાણે આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથની બાબતમાં પણ (૧) ગ્રંથનું નામ શું? (૨) તે નામ રાખવાનું શું કારણું. (૩) ગ્રંથમાં નામ પ્રમાણે અર્થ ઘટે છે કે નહિ? (૪) કેના આધારે આ ગ્રંથની રચના કરી છે ? (૫) તેમાં શી શી બીના કયા મુદ્દાથી કેવા રૂપમાં વર્ણવી છે ? (૬) અહીં ચાર અનુબંધનું સ્વરૂપ શું ? (૭) છંદ શાસ્ત્રના નિયમ પ્રમાણે ઘણાં છે છતાં હરિગીત છંદમાં રચના કરવાનું શું કારણ ? (૮) કયા સ્થલે કઈ સાલમાં કેની વિનંતિથી આ ગ્રંથ બનાવે ? વિગેરે પ્રશ્નોને ખુલાસાને જણાવવા માટે પ્રસ્તાવના ખાસ જરૂરી છે. જગતમાં (૧) અધમતમ. (૨) અધમ. (૩) વિમધ્યમ (૪) મધ્યમ (૫) ઉત્તમ અને (૬) ઉત્તમોત્તમ એમ પુરૂષ છ પ્રકારના હોય છે, તેમાં (૧) જે અધમતમ એટલે બહુ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy