________________
દેશનાચિંતામણિ ]
૧૨
પાસેથી ધર્મને ઉપદેશ સાંભળીને જતા ભવ્ય જને જ્યારે આ કામ રૂપી લુંટારા આગળ આવે છે ત્યારે તે સાંભળેલા ધર્મના ઉપદેશને ભૂલાવી દે છે. માટે હે ભવ્યી જ્યારે તમારે નાની મુસાફરી કરવાની હોય છે એટલે એક ગામથી નીકળીને નજીકના ગામમાં જવાનું હોય છે ત્યારે તે તમે વળાવા (માર્ગને ભોમીયે અથવા રક્ષક) વિના જતા નથી, તે પછી લાંબી એવી આ સંસારની મુસાફરીમાં તમે તે વળાવા વિના એકલા નિર્ભયની માફક કેમ ફરો છો ? એકલા ફરવામાં રસ્તામાં તમને જરૂર ભય રહેલો છે, માટે તમારે ભેમીઓ અવશ્ય રાખ જોઈએ. આ સંસારની મુસાફરીમાં તમારે તમારી સાથે કેવા પ્રકારને વળાવ રાખવો જોઈએ તે આગળ દેખાડીએ છીએ. ૧૫૧
વળાવાનું સ્વરૂપ જણાવે છે – જિનધર્મ રક્ષક તે સહાયક પણ વળા જાણીએ,.
તેહની સાથે રહી જ્ઞાનાદિ ધન સંભારીએ; - યોગની સ્થિરતા ધરીને ધર્મસાધન સાધજે,
અમાટે કામ લટારા તણે ભય હાલજે. ૧૫ર અર્થ –આ સંસારની મુસાફરીમાં શ્રીજિનેશ્વર દેવે કહેલ ત્રિપુટી શુદ્ધ ધર્મજ રક્ષક એટલે રક્ષણ કરનાર છે, તથા સહાયક એટલે મદદ કરનાર પણ એજ ધર્મ હોવાથી શ્રી જૈનધર્મ એજ સાચે વળાવે જાણ. તેને સાથે રાખીને હે ભવ્ય છે ! જ્ઞાનાદિ ધન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મિક ધનનું રક્ષણ કરે. વળી યોગની સ્થિરતા એટલે મનેયેગ વચનયોગ અને કાયમ એ ત્રણ યોગની એકાગ્રતા કરી એટલે એ ત્રણેને ધર્મની અંદર જોડીને ધર્મની સાધના કરજે. કારણ કે યોગની સ્થિરતા વિના ધર્મકાર્ય સાધી શકાતું નથી, અને એ પ્રમાણે યોગને સ્થિર કરીને અપ્રમાદે એટલે નિદ્રા વિકથા વિગેરે પહેલાં કહેલા પ્રમાદથી દૂર રહીને કામ રૂપી લુંટારાના ભયને દૂર કરજે. ૧૫ર
ધર્મને સાધવાને વિધિ દાખલ દઈને સમજાવે છે – ગિની એકાગ્રતામાં ભેદ સઘલી સિદ્ધિના,
એક સરખા વાગનારા તાર તંબૂરા તણા;ી ' સુણનારને રાજી કરે વિપરીતતા એ વાગતા,
ઘે નહિ આનંદ રજ પણ કાનને કટ લાગતા. ૧૫૩ ' '' અથચગની એકાગ્રતા થાય, એટલે મનની જેવી વિચારણા હોય, તે પ્રમાણે વચનથી બોલતા હોઈએ અને તેને અનુસારે કાયાની પ્રવૃત્તિ થતી હોય એ પ્રમાણે જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org