SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિતામણિ ] ૧૧૫ રખડ્યા કરે છે. પરંતુ જે ભવ્ય જી અપ્રમાદી છે, એટલે પ્રમાદ રહિત થઈ ધર્મને સાધનારા જીવે છે, તેઓ ધર્મની સાધના કરતાં કરતાં પરંપરાએ મોક્ષના સુખને પણ મેળવે છે. આ પ્રમાણે વિચારીને હે ભવ્ય છે ! તમે ધર્મના અવસરને સારી રીતે સાધજે, એટલે ધર્મ કરવાને પ્રસંગ મળે, ત્યારે ધર્મની સાધના કરવામાં લગાર પણ પ્રમાદ કરશે નહિ. અને આ પ્રમાદ જે મેહરાજાને પુત્ર છે તેને કદી પણ વિશ્વાસ કરશો નહિ. કારણ કે તેને શેડો પણ વિશ્વાસ કરશે, તે ધીમે ધીમે તમે બહુ જ હલકી કેટીમાં દાખલ થઈ જશે. અને સંસારમાં રખડશે. ૧૩૯ સંસાર અગ્નિના જેવો છે, એમ ત્રણ લેકમાં જણાવે છે – રતિસ્વરૂપ સંતાપથી જે ચપળતાને ધારતી, કામિની રૂપ ઝાળ મેટી જેહમાંથી નીકળતી કમળદલ કાળા કટાક્ષ સ્વરૂપ ધૂમ તણી તતિ, પ્રકટતી, જેના વિષય અંગારથી તન દાઝતી. ૧૪૦ તેહ સંસાર સ્વરૂપ અગ્નિ વિષે સુખ ક્યાં મળે?, અંગાર જ્વાલા ધૂમ ત્રણ જિમ અગ્નિમાંથી નીકળે; સંસારમાં પણ તેહ ત્રણ તિમ અગ્નિ સમ સંસારને, જાણજે વૈરાગ્ય જલથી ઠાર ઝટ એહને. ૧૪૧ અર્થ –આ સંસાર અગ્નિના જેવો છે. કારણ કે અગ્નિમાંથી જેમ ઝાળ એટલે વાલાઓ નીકળે છે, તેમ આ સંસાર રૂપી અગ્નિમાંથી કામિની એટલે સ્ત્રી રૂપી જવાલા નીકળે છે, અને તે રતિસ્વરૂપ સંતાપને એટલે કામાગ્નિ વડે ચપળતાને ધારણ કરે છે. જે સંસારરૂપ અગ્નિમાં કાળા કમલના પાંદડા જેવા આંખના કાળા કટાક્ષ (વક્રદષ્ટિ) રૂપી ધૂમાડાની તતિ એટલે શ્રેણિ અથવા પરંપરા પ્રગટે છે અને જે સંસારરૂપ અગ્નિના વિષયાભિલાષ રૂપી અંગારા શરીરને બાળે છે. આવા સંસાર રૂ૫ અગ્નિને વિષે સુખ કયાંથી મળે ? એટલે સુખ ન મળે. જેમ અગ્નિમાંથી અંગારા, વાલા એટલે ઝાળ અને ધૂમ એટલે ધૂમાડે એ ત્રણ વસ્તુ નીકળે છે તેમ સંસાર રૂપી અગ્નિમાંથી પણ તે ત્રણ વસ્તુઓ નીકળતી હોવાથી સંસારને પણ અગ્નિની જેવો કહ્યો છે. અને એ સંસાર રૂપી અગ્નિને વૈરાગ્ય રૂપી પાણી છાંટીને હે ભવ્ય જીવો તમે જલ્દી શાંત કરજે. કારણ કે જ્યારે વૈરાગ્ય ભાવના જાગે અને ભવ્ય જે સંયમની સાધના કરે, ત્યારે જ તે શાંત થઈ શકે છે. ૧૪૦-૧૪૧. તાપ લાગે વાલમાંહી ભેગ તાપ ઈહાં સહી, કામાગ્નિનું પરિણામ મા વિષય સેવન છે અહીં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy