________________
દેશનાચિંતામણિ ]
૧૦૮ અર્થ –આ પ્રમાદથી થતા નુકશાનની બાબતમાં તમે આ સંસારમાં પ્રત્યક્ષ એટલે નજરો નજર જુઓ કે ધર્મને તજનારા અને પ્રમાદને સેવનારા ઘણા છ સંપદા એટલે સુખના સાધન રૂપ સંપત્તિને પામતા નથી અથવા તેઓ દુઃખી જણાય છે. વળી ધર્મને તજનાર પ્રમાદી જી કદાચ સંપત્તિવાળા જણાતા હોય તો તે તેમણે પ્રથમ પૂર્વભવમાં કરેલ ધર્મનું ફળ જાણવું. વળી તેઓ પોતાની સર્વ આપદા એટલે સંકટોને નાશ કરી શકતા નથી. કારણ કે આપત્તિઓને નાશ કરવામાં પ્રમાદને છોડીને સાધેલ જિન ધર્મ જ સહાયકારી થાય છે. વળી તે પ્રમાદી જીવો આધિ એટલે મનની પીડા તથા વ્યાધિ એટલે શરીરની પીડા તેનાથી રહિત બનતા નથી. તથા ઉત્તમ ગુણોથી શોભાયમાન છતાં તે પ્રમાદી જીવો સ્વર્ગના અથવા દેવલોકના સુખને પામતા નથી. તેમજ સ્થિર સુખ એટલે જે સુખની પ્રાપ્તિ ભવિષ્યમાં અનંતકાળ સુધી કાયમ રહેવાની છે તેવા મેક્ષનાં સુખને કઈ પણ વખત પામતા નથી. અને એ મેક્ષ સુખ સિવાયનાં બીજા બધા પ્રકારનાં સુખ કાયમ રહેતાં નથી, કારણ કે સંસારિક સુખમાં સૌથી ઉત્તમ ગણાતાં જે દેવક સંબંધી સુખે તે પણ વધારેમાં વધારે તેત્રીસ સાગરેપમ સુધી રહે છે ત્યાર પછી તે સુખો પણ જતાં રહે છે. કારણ કે એ સુખો કર્માધીન છે, જેથી મોક્ષનું સુખ જ એક એવું શાશ્વત સુખ છે કે જે કઈ દિવસ નાશ પામવાનું નથી જ. કારણ કે સિદ્ધ ભગવંતને તે સુખને નાશ કરનારાં કઈ પણ કર્માદિ હેતુઓ રહ્યાં જ નથી. આવા મુક્તિના સુખને પણ ઘણા સંસારી છે પામતા નથી. તેમાં મુખ્ય કારણ પ્રમાદ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંપત્તિ મેળવવાની અને આપત્તિઓને ટાળવાની તથા આધિ વ્યાધિને દૂર કરવાની અને આત્મિક ગુણ રૂપી કમલને શ્રીજિનધર્મની નિયાણ રહિત આરાધના કરવા રૂ૫ સૂર્યના કિરણોથી વિકસાવવાની ઈચ્છાવાળા ભવ્ય જીઓ તેમજ સ્વર્ગના અને મોક્ષના સુખની ચાહના કરવાવાલા ભવ્ય જીવોએ જરૂર પ્રમાદનો ત્યાગ કરવો જ જોઈએ. અને તેમ જે ન કરે તે સ્વગદિન સુખને લાભ વિગેરે કાર્યસિદ્ધિ થઈ શકે જ નહિ. આ બાબતમાં પુરાવાને લેક આ પ્રમાણે જાણો–
છે થરાદૃરમ્ | यत्संपत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्ता । यन्नाधिव्याधिहीनाः सकलगुणगणालङ्कृताङ्गश्च यन्नो ॥ यन्न स्वर्ग लभन्ते निखिलसुखखनि मोक्षसौख्यं च यन्ने ।
दुष्ट : कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः ॥१॥ આ લોકને સ્પષ્ટાથે ઉપર જણાવી દીધું છે. ૧૩૧ પ્રમાદથી થતા નુકસાન વિગેરે જણાવે છે – એહમાં હેતુ પ્રમાદ વિચારીએ કલ્યાણની,
માલા બગાડે છે પ્રમાદ તજે જ સંગતિ એહની;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org