________________
દેશનાચિંતામણિ ]
૧૦૫
બાલપણ શું બને પ્રમાદી જરૂર જોખમ ઈમે થતાં,
મઘાદિ પંચ પ્રમાદ ભવિને દુર્ગતિમાં લઈ જતા. ૧૨૬ અર્થ –સંસાર આ દુઃખદાયી છે એવું વિચારીને ડાહ્યા મનુષ્ય સમજીને પ્રમાદને જરા માત્ર પણ સેવતા નથી. તે મરૂભૂમિ એટલે મારવાડ જ્યાં એટલે સખત તાપ પડે છે કે તેમાં દિવસે તે ચાલી શકાતું નથી, તેવા સ્થળમાં રાતની અંદર ચાલી શકાય છે. તે વખતે ચાલતાં શું બાલક એટલે અજ્ઞાની હોય તે પણ પ્રમાદી બને ખરો કે? એટલે રાત્રે ચાલવામાં તેવા અજ્ઞાની છે પણ આળસુ બનતા નથી. કારણ કે જે આળસુ બનીને તે ચાલવાના પ્રસંગે ચાલે નહિ તે તેને જોખમ અથવા સંકટમાં જરૂર સપડાવું પડે છે માટે હે ભવ્ય છે ! આ સંસારમાં દુર્ગતિ એટલે નરકાદિ ખરાબ ગતિમાં લઈ જનાર મદ્યાદિ એટલે મદ્ય વગેરે પાંચ પ્રકારના પ્રમાદને જરૂર તજવા જોઈએ એમ તમે જરૂર સમજજો. ૧૨૬.
પ્રમાદના ભેદે જણાવે છે માદિ શબ્દ પાંચ લેવા મઘ વિષય કષાયને,
વિકથા અને નિદ્રા તો વિષ શત્રુ ધારી પ્રમાદને, મુક્તિપુર માર્ગે જતાં વાટે રહેલે ચાર એ,
નરક હેતુ પ્રમાદને હે ભવ્ય જીવો! ઈડીએ. ૧ર૭ અર્થ:–મદ્યાદિ એ શબ્દથી મદ્ય વગેરે પાંચ પ્રમાદ ગ્રહણ કરવા. તે આ પ્રમાણે – ૧ મધ, ૨ વિષય, ૩ કષાય, ૪ વિકથા અને ૫ મી નિદ્રા. આ પાંચે પ્રમાદેને ઝેર સરખા શત્રુ માનીને અથવા ઝેર સરખા અને શત્રુ સરખા માનીને તેમને ત્યાગ કરજે. આ પાંચે પ્રમાદ મેક્ષ રૂપી નગરમાં જતાં રસ્તામાં રહેલા ચેરની જેવા જાણવા, માટે હે ભવ્ય જી ! નરકમાં લઈ જવાના હેતુ રૂપ એ પાંચે પ્રમાદને અવશ્ય ત્યાગ કરજો. ૧૨૭
ભયંકર સર્ષથી પણ પ્રમાદ વધારે દુઃખ આપે છે, એમ જણાવે છે – છે તફાવત બહુ મહાતનુ સર્પ તેમ પ્રમાદમાં,
મૃત્યુની ભજના પ્રથમથી અન્યથી સંસારમાં, હાય મૃત્યુ ભવે ભવે બહ રત્નવંતી પૃથ્વીમાં,
ત્રણ જણા બહુ ખેદ પામે એમ સૂક્ત પ્રબંધમાં. ૧૨૮ અર્થ–મોટા શરીરવાળા સર્પ અને પ્રમાદ એ બેની વચ્ચે ઘણો મોટો તફાવત રહે છે. કારણ કે પ્રથમથી એટલે સર્પથી મૃત્યુની ભજના છે એટલે મરણ થાય
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org