________________
દેશનાચિંતામણિ ]
૧૦૩
નિશ્ચય થઈ શકે નહિ. માટે આ બાબતમાં સ્પષ્ટ બીના એ છે કે શ્રી તીર્થંકર પ્રભુ દેશના આપતી વખતે પાઠપીઠ ઉપર બે પગ સ્થાપીને એટલે સિંહાસનની નીચે રહેલ પગથીઆ વાળા પાદપીઠ ઉપર બે પગ રાખીને સિંહાસન ઉપર બેઠેલા ભગવાન બે હાથથી
ગમુદ્રા કરીને ( એવા આકારવાળા થઈને ) ભવ્ય જીને સમવસરણમાં ધર્મોપદેશ આવે છે. તે કારણથી જ તે પછીના સમયમાં થયેલા બીજા આચાર્યો પણ પ્રાય: એજ ગમુદ્રાએ વ્યાખ્યાન આપે છે, કારણ કે તે આચાર્યો શ્રી જિનેશ્વર પ્રભુના પ્રતિરૂપક છે એટલે શ્રીજિનેશ્વર પ્રભુનું જ અનુકરણ કરનારા છે, પરંતુ આચાર્યોની બાબતમાં એટલું વિશેષ જાણવાનું છે કે આચાર્યો પિતાના હાથમાં મુહપત્તિ રાખે છે, અને શ્રીજિનેશ્વર મુહપત્તિ રાખતા નથી [ ચિત્યવંદન મહાભાષ્યની પ૩-૫૪-પ૫ મી ગાથા.] ૧૨૧
પ્રભુ અને કેવલી તીર્થ શબ્દથી કોને નમે છે? આ વાત જણાવે છે – ચિત્યવંદન ભાષ્યમાં અમ દેશનાની આદિમાં,
પ્રભુજી નમે શ્રી સંઘરૂપી તીર્થને ઈમ ભાષ્યમાં તેમ તીર્થગાર નામ પ્રકીર્ણકે વલિ કેવલી,
પ્રથમ ગણધર તીર્થ પ્રણમે પદ તણું ગેરવ કલી. ૧૨૨ અર્થ ૧૨૧ મા લેકમાં કહેલી બીના ચિત્યવંદન ભાષ્યમાં જણાવી છે. તથા દેશનાની શરૂઆતમાં પ્રભુ શ્રી તીર્થકર ભગવાન ચતુર્વિધ સંઘરૂપી તીર્થને નમસ્કાર કરે છે એમ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં અને મેટી ટીકામાં તથા “તીર્થોદગાલિક” નામના પ્રકીર્ણક (પન્ના) માં કહ્યું છે તથા કેવલી અહીં પ્રથમ ગણધર રૂ૫ તીર્થને પ્રણામ કરે છે, કારણ કે ગણધર પદનું ગૌરવ વધારે છે એવું જાણીને તેઓ એ પ્રમાણે કરે છે. ૧૨૨
સમવસરણની નિર્દોષતા જણાવે છે –
ઇમ બૃહત્કમલયગિરિ સૂરિવચને જાણીએ, : Jા પ્રભુ નમિત્ત કરેલ આધાર્મિ ઈમ ના માનીએ; - જિનનામ દલિક ખપાવવાને સમવસરણે તેહવા,
બેસતા પ્રભુ તીથપતિ ત્રણ ભુવનને ઉદ્ધારવા. ૧૨૩ અર્થ --એ પ્રમાણે બહલ્પની અંદર શ્રી મલયગિરિ આચાર્ય મહારાજના વચનથી એ બીના જાણી શકાય છે. અહિં શંકા થાય કે પ્રભુના નિમિત્તે કરેલ સમવસરણને પ્રભુ પિતે ઉપયોગ કરે તે આધાક દેષ લાગે કે નહિ ?. તેનું સમાધાનઃ–પ્રભુના નિમિત્તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org