________________
૧૦૨
[ શ્રી વિજ્યપધસૂરિકૃતજણાવે છે તેવા આસને બેસીને પ્રભુ ધર્મોપદેશ આપે છે, એમ કેટલાક આચાર્ય કહે છે. આની આગળની બીનાને સંબંધ ૧૨૧ માં લેકના અર્થમાં જણાવ્યું છે. ૧૨૦ વ્યવહારથી છે એમ પણ પરમાર્થથી પ્રભુ ચરણને,
પાદ પીઠ વિષે ઠવી બેસી પ્રવર સિંહાસને; વેગ મુદ્રા કર ધરી ઘે દેશના આથી કરે,
વ્યાખ્યાન સૂરિવરા તફાવત હાથ મુહપત્તિ ધરે. ૧૨૧ અર્થ–પરંતુ એ લેકવ્યવહાર જાણ અને પરમાર્થથી અથવા વાસ્તવિકપણે વિચાર કરીએ તે પ્રભુજી પોતાના બે ચરણેને પાદપીઠ એટલે બાજોઠ ઉપર સ્થાપન કરે છે. પછી ઉત્તમ સિંહાસન ઉપર બેસીને હાથને વિષે ગમુદ્રા ધારણ કરીને ધર્મને ઉપદેશ આપે છે. આ પદ્ધતિને ધ્યાનમાં રાખીને સૂરિવરા એટલે તે પછીના ઉત્તમ આચાર્ય મહારાજાઓ પણ એ પ્રમાણે દેશના આપે છે. પરંતુ બંનેમાં ફેર એ છે કે આ આચાર્યો મુહપત્તિને હાથમાં રાખે છે. અને શ્રી તીર્થકર ભગવંતોને તેમ હોય નહિ. આ બાબતમાં ચૈત્યવંદન બહદુર્ભાગ્યને સાક્ષિપાઠ આ પ્રમાણે જાણ –
जं पुण भणंति केई, ओसरणे जिणसरूवमेयं तु ॥ जणववहारो एसो, परमत्थो एरिसो एत्थ ॥ १॥ सिंहासणे निसण्णो, पाए ठविऊण पायपीढम्मि ॥ करधरियजोगमुद्दो, जिणनाहो देसणं कुणइ ॥ २ ॥ तेणं चिय सरिवरा, कुणंति वरकाणमेयमुद्दाम ॥
जं ते जिणपडिरूवा, धरंति महपोत्तियं नवरं ॥ ३ ॥ અથ–વળી શ્રી તીર્થકર પ્રભુ દેશના આપે છે તે વખતે કયા આસને બેસે ? તે સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે ચૈત્યગૃહાદિમાં પ્રભુ જે રીતે બેસે છે તેવા પ્રકારનું આ જિનસ્વરૂપ છે એટલે ચિત્યમાં સ્થાપન કરેલી પ્રતિમાનું જે આસન હોય છે તેજ આસને સમવસરણમાં બેસીને પ્રભુ દેશના આપે છે. એમ નિર્ણય કરે છે, પરન્તુ ચૈત્યમાં જે આકારે પ્રતિમાજી સ્થાપન કરવામાં આવે છે તે આકાર અથવા આસન તે લેકવ્યવહારથી છે, એટલે પ્રતિમાજીને પદ્માસને વા પર્યકાસને સ્થાપિત કરવી એ લોકવ્યવહાર છે, પરંતુ તે ઉપરથી સમવસરણમાં પણ પ્રભુજી એજ સ્વરૂપે અથવા એજ આકારે અથવા એજ આસને એટલે પદ્માસને અથવા પર્યકાસને બેસતા હશે એવો સર્વથા
૧ ગમુદ્રા --મુદ્રા એટલે આકાર. બંને હાથની આંગળીઓને પરસ્પર ભરાવીને, કમલના ડેડાના આકારે બે હાથ રાખી, પેટ ઉપર કેણી સ્થાપન કરવી તેને યોગમુદ્રા કહે છે. કહ્યું છે કે
अण्णुण्णंतरि अंगुलि-कोसागारेहिं दोहिं हत्थेहिं ॥ ... पिट्टोवरि कुप्परि सं-ठिपहिं तह जोगमुद्दति ॥ १ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org