________________
૧૦૦
[ શ્રી વિજયયવસારિકૃતકર્મ). થોડા વખતમાં નાશ પામશે આવા વિચારથી હું રાજી થાઉં છું. પરંતુ જ્યારે મારામાંથી મોહ જતો રહેશે અને તેથી હું કેવલી થઈશ ત્યારે આપને નમસ્કાર કરી શકીશ નહિ આવા વિચારથી હું દિલગીર પણ થાઉં છું. આથી સાબીત થયું કે કેવલીઓ જિનેશ્વરને વંદના કરતા નથી. ૧૧૫
કેવલીની પાછળ બેસનારા જીવો કેણ? તે જણાવે છે – તેમની પાછળ મહામુનિ લબ્ધિમંત જિનાદિને,
પ્રણમી વિનયથી બેસતા વૈમાનિકી દેવી અનેક સાહણી પણ એ ક્રમે સુણવા જિનેશ્વર વચનને,
પૂર્વ ધારે પસીને ત્યાં બેસતી ધરી શાંતિને. ૧૧૬ અર્થ –તે સામાન્ય કેવલજ્ઞાનીઓની પાછળ વૈકિયાદિ અનેક પ્રકારની લબ્ધિવાળા મોટા મુનીશ્વરો જિનેશ્વરને પ્રણામ કરીને વિનય પૂર્વક બેસે છે. આ ગણધરે, કેવલીઓ તથા લબ્ધિવંત મુનિએની એક પર્ષદા જાણવી. તે સાધુઓની પાછળ વૈમાનિકની દેવીઓ અને તેની પાછળ સાધ્વીઓ પણ જિનેશ્વરના વચનને સાંભળવા માટે પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને શાંતિ પૂર્વક બેસે છે. એ પ્રમાણે અગ્નિ ખૂણામાં બેસનારી ત્રણ પર્ષદાઓની બીના જણાવી દીધી. ૧૧૬
નૈઋત્યમાં અને વાયવ્યમાં બેસનારી પર્ષદાને જણાવે છે – ભુવનપતિ જ્યોતિષ્કની તિમ વ્યંતરામરની સરી, -
યામ્ય દ્વાર થકી પ્રવેશી નાથને વંદન કરી; બેસતી નૈઋત્યમાં સુર એહ પશ્ચિમ દ્વારથી,
પેસી વિધાને બેસતા વાયવ્ય ખૂણમાં હર્ષથી. ૧૧૭ અર્થ-હવે નૈત્રત્ય ખૂણામાં પહેલાં આગળ ભુવનપતિ દેવોની દેવીઓ બેસે છે, અને તેની પાછળ જોતિષી દેવેની દેવીઓ અને તેની પાછળ વ્યન્તર દેવોની સુરી એટલે દેવાંગનાઓ થાઓ એટલે દક્ષિણ દિશા તરફના દરવાજાથી સમવસરણમાં દાખલ થઈને પ્રભુને વંદના કરીને (નૈઋત્ય ખુણામાં) બેસે છે, અને એ દેવીઓના દેવો એટલે ભુવન. પતિ દેવ, તિષી દેવો અને વ્યન્તર દેવ પશ્ચિમ દિશાના દરવાજાથી દાખલ થઈને સમવસરણમાં આવીને હર્ષથી પ્રભુના ચરણમાં પ્રણામ કરીને આનંદ પૂર્વક વાયવ્ય ખૂણામાં એજ અનુક્રમ પ્રમાણે પાછળ પાછળ બેસે છે. ૧૧૭
ઈશાન ખૂણુની ત્રણ પર્ષદા વિગેરે બીના જણાવે છે – વૈમાનિકામર પુરૂષ નારી ઉત્તરદ્વારે કરી,
પેસી નમીને નાથને ઈશાનમાં બેસે ઠરી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org