SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ = = દેશનાચિંતામણિ ] અર્થ --એવા તીર્થપતિ એટલે તીર્થકર ભગવાનના દર્શન કરવાથી દુરિત ગણ એટલે પાપના સમૂહને નાશ થાય છે, તથા બહુ ભક્તિભાવ ને હર્ષ પૂર્વક વંદન કરવાથી મનની સઘળી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. વળી એક ધ્યાનથી પ્રભુની પૂજા કરવાથી દ્રવ્યલમી અને ભાવલક્ષ્મી એમ બે ભેદવાળી લક્ષ્મી મળે છે. અહીં ધન ધાન્ય દાસ દાસી સુવર્ણ આદિ તે દ્રવ્ય લક્ષ્મી અને જ્ઞાનાદિક આત્મિક ગુણે તે ભાવલક્ષમી જાણવી. એ પ્રમાણે સમવસરણમાં બિરાજમાન આવા શ્રીઅરિહંત ભગવંતનું હું હંમેશાં ધ્યાન કરું છું. ૧૦૯ અગ્નિ ખૂણામાં બેસનારી ત્રણ પર્ષદાનું સાત લોકમાં વર્ણન કરે છે – અહીં ઉચિત સ્થાને સમવસરણે બેસતી સાવિ પર્ષદા, અગ્નિખૂણમાં શોભતી ત્રણ ગણધરાદિક પર્ષદા; સ્વજનાદિનો ઉદ્ધાર ચાહી તે પ્રમાણે સાધતા, શ્રેષ્ઠ ગણધર લબ્ધિદાયક નામ કર્મ ઉપાર્જતા ૧૧૦ અર્થ:-હવે ઉપર બતાવેલા સ્વરૂપવાળા સમવસરણમાં સઘળી પર્ષદા (સભાના લેકે) પિત પિતાને યોગ્ય સ્થાનમાં બેસે છે. તેમાં અગ્નિ ખૂણામાં ગણધર વગેરે સાધુ ભગવંતે સૌથી આગળ બેસે છે, અને તેમની પાછળ વમાનિક દેવોની દેવીઓ બેસે છે, તથા તેમની પાછળ સાધ્વીઓ બેસે છે. એમ ત્રણ પર્ષદા શોભે છે. જેઓની ભાવમાં સ્વજન વગેરેને ઉદ્ધાર કરવાની હોય છે, પરંતુ સર્વ જીવના ઉદ્ધાર કરવા સુધીની હતી નથી, એમ પિતાની ભાવનાને અનુસાર જેઓ પોતાના કુટુંબ વગેરેને ઉદ્ધાર કરે છે પણ ખરે, તેઓ ઉત્તમ ગણધર પદની લબ્ધિ આપનાર ગણધર નામ કર્મને બંધ કરે છે. ૧૧૦ ગણધર નામકર્મ અલગ કેમ ન કહ્યું? તેનું સમાધાન કરે છે – જિનનામ હેતુ વીસથાનક તે ગણિ નામાદિના, હેતુ કહ્યા લેકપ્રકાશે વચન વાચક વિનયના તિણ સંભવે જિનનામ ગ્રહણે ગણધરાદિક નામને, - નિર્દેશ પણ અવકાશ જ ના કેઈપણ સંશય તણ. ૧૧૧ અર્થ - જિનનામકર્મને બાંધવાનો હેતુ જે વાસસ્થાનક તપનું આરાધન છે તેજ વિસસ્થાનક તપનું આરાધન કરવા રૂપ હેતુ ગણધરાદિક નામ કર્મને બંધ થવામાં પણ હોય છે. એમ શ્રી પ્રકાશ ગ્રંથમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય મહારાજના વચને છે. માટે એ લોક પ્રકાશમાં કહેલા હેતુની સમાનતા વિચારતાં જિનનામ કમનું ગ્રહણ કરવાથી ગણધરાદિ નામ કર્મને નિર્દેશ પણ (જિનનામ કર્મમાં અન્તર્ગત) આવી ગયે ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy