________________
દેશનાચિંતામણિ ]. તેહથી રૂપ ગણધરનું અનંત ગુણ અવધારીએ,
તેથી અનંત ગુણ તીર્થપતિનું એમ નિત સંભારીએ. ૧૦૬, અર્થ –તે અનુત્તરવાસી દેના રૂપ કરતાં જેમને આહારક લબ્ધિ હોય તે ચૌદપૂવી મુનિઓ ખાસ કારણે જ્યારે આહારક શરીર બનાવે, ત્યારે તે આહારક શરીરનું રૂપ અનંતગુણ હોય છે. તે આહારક શરીરના રૂપ કરતાં તીર્થકરના જે ગણુધરે હોય છે, તેમનું રૂપ અનંતગુણ અધિક જાણવું, અને તે ગણધરોના રૂપ કરતાં તીર્થકરનું રૂપ અનંતગુણ અધિક જાણવું. એટલે તીર્થકરોનું રૂપ સૌથી અનંતગુણ અધિક જાણવું, કારણ કે તેમનાથી ચઢીયાતું ઉત્તમ રૂ૫ દુનિયામાં કોઈનું પણ હેાય જ નહિ, આ વાત હંમેશાં ધ્યાનમાં રાખવી. ૧૦૬
પ્રભુને રાગાદિને અભાવ છે, એમાં હેતુ બે શ્લેકમાં કહે છે – પશ્ચાનુપૂર્વીના કમે આવશ્યક નિર્યુક્તિમાં,
અનુક્રમેજ અનંત ગુણહીન તેમ લોકપ્રકાશમાં રોગનું અનુમાન સ્ત્રીના સંગથી શસ્ત્રાદિથી,
વૈષનું અનુમાન હવે તિમ અગ્યાચારથી. ૧૦૭ મેહનું અનુમાન હવે તીર્થપતિને એ નહી,
નેત્ર પ્રભુના પ્રશમ રસને ઝીલતા શોભે સહી; દેખનારા ભવ્યને વર રૂપ તીર્થકર તણું,
વૈરાગ્ય રંગ વધારતું ને બલ ઘટાડે મોહનું. ૧૦૮ અર્થ–પશ્ચાનુપૂર્વીના ક્રમથી એટલે પાછળ પાછળનું કહેવા રૂપ કમથી (એટલે ઉલટા ક્રમથી આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં અનંત ગુણ હીન હીન રૂપ ગણાવ્યું છે. તથા એજ ક્રમે એટલે અનંતગુણ હીનના ક્રમથી લેક પ્રકાશ ગ્રંથમાં પણ ગણાવ્યું છે. વળી પ્રભુનું રૂપ એટલે સાક્ષાત રૂ૫ વા પ્રતિમાદિનું રૂ૫ સ્ત્રી વિગેરેને સંસર્ગથી રહિત છે. એ જણાવે છે–સ્ત્રીની સબત જેને હોય તેનામાં રાગ રહેલ છે એવું અનુમાન થાય છે. તથા શસ્ત્રાદિથી એટલે તલવાર વગેરે હથિઆર રાખનારમાં ઠેષનું અનુમાન થાય છે. એટલે એનામાં દ્વેષ રહેલો છે એમ જણાય છે. તેમજ જેમનું આચરણ અગ્ય હોય તેનામાં મેહ રહે છે. એવું અનુમાન થાય છે. પરંતુ તીર્થ પતિ જે જિનેશ્વર ભગવાન તેમનામાં સ્ત્રીની સબત, શસ્ત્ર અથવા ગેરવ્યાજબી ચાલચલગત નહિ હોવાથી તેમનામાં રાગ, દ્વેષ અથવા મોહ નથી એમ સાબિત થાય છે. વળી નિશ્ચયે કરીને અત્યંત શાંત રસને ઝીલતા પ્રભુના ને શેભી રહ્યાં છે તથા પ્રભુને જેનારા ભવ્ય જીને તીર્થંકર પ્રભુનું ઉત્તમ રૂપ વૈરાગ્ય ભાવનાને વધારનારું છે અને મોહનીય કર્મનું જોર ઘટાડે છે. આ બાબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org