________________
[ શ્રી વિજયપધસૂરિકૃતરાજા વગેરે છ સ્થાન પતિત જાણવા. અને ત્યાર બાદ માંડલિક રાજા અનંત ગુણ રૂપવાળા જાણવા, તે કરતાં બલદેવનું રૂપ અનંતગુણ જાણવું, તેનાથી વાસુદેવનું રૂપ અનંતગુણ અધિક જાણવું. એ રીતે અનન્તગુણ અધિક અધિક રૂપ માંડલિક રાજાથી માંડીને જાણવું. ૧૦૩-૧૦૪
ક્રમસર અનંતગુણ અધિકરૂપ ચકવત્તિ મહીપતિ,
વ્યંતર ભુવનપતિ જ્યોતિષી વૈમાનિકામરની તતિ, શ્રેષ્ઠ કપનમાં અચુત સુરેનું રૂપ ઘણું,
તેથી નવ રૈવેયકાનુત્તર વિમાનામરતણું. ૧૫
અર્થ–કમસર એટલે અનુક્રમે હવેના સ્થાનમાં અનંતગુણ અધિક અધિક રૂપવાળા જાણવા. એટલે વાસુદેવ કરતાં ચક્રવતીનું રૂપ અનંતગણ અધિક હોય છે. તેનાથી વ્યંતર દેવેનું રૂપ અનતગુણ અધિક જાણવું. તેનાથી ભુવનપતિ દેવનું અનંતગુણ અધિક રૂપ હાય છે. તેનાથી જ્યોતિષી દેવેનું રૂપ અનંતગુણ અધિક, તેનાથી વૈમાનિક દેવેની શ્રેણિમાં અનંતગુણ એટલે અનંતગુણ અધિક રૂપ જાણવું. વૈમાનિકેમાં મુખ્ય બે ભેદ છે. (૧) કપપન્ન દેવ અને (૨) કલ્પાતીત દેવો. તેમાં જેઓમાં સ્વામી સેવક ભાવને વ્યવહાર હોય છે તેઓ કાપપન્ન કહેવાય છે. તે કપ૫ન્નમાં સૌધર્મ નામના પહેલા દેવલોકથી માંડીને બાર દેવલોક સુધીના દેવો જાણવા તથા બીજા કપાતીત દેવો છે. તેમાં નવ રૈવેયકના દે તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેવો એમ બે ભેદ છે. આ દેવામાં સ્વામી સેવક ભાવ નહિ હોવાથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે. અહીં કાઁપન્ન દેવામાં પણ સૌધર્મ સ્વર્ગના દેવેને રૂપથી અનુક્રમે બારમા અચુત દેવકના દેવેનું રૂપ અનંતગુણ અનંતગુણ અધિક હોય છે. તેનાથી નવ રૈવેયકના દેવતાનું અનંતગુણ અધિક રૂપ હોય છે, અને તે થકી અનુત્તર વિમાનવાસી દેવેનું રૂપ અનંતગુણ અધિક જાણવું. આ અનુત્તર વિમાનવાસી દેવામાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવેનું રૂપ બધા દેવેથી અધિક હોય છે. ૧૦૫ લબ્ધિવંતા ચાદપૂર્વી દેહ આહારક કરે,
તેહનું રૂપ અનુત્તરામરથી અનંત ગુણું ખરે;
૧ છ સ્થાન પતિત આ પ્રમાણે ૧ સામાન્ય રાજાઓમાં અને પ્રજા વિગેરેમાં પરસ્પર કેટલાક અનંત ભાગહીન, રે કઈ અસંખ્ય ભાગહીન, ૩ કઈ સંખ્યાત ભાગહીન, ૪ કઈ સંખ્યાત ગુણહીન, ૫ કઈ અસંખ્યાત ગુણહીન, ૬ કેઈ અનંત ગુણહીન રૂપવાળા હોય છે. (અને માંડલિકરાજા વિગેરે ઉત્તમ રાજાઓ વિગેરે અનુક્રમે અનન્તગુણ અધિક અધિક રૂપવાળા હોય છે. જેથી એમાં છ સ્થાન પતિતપણ ન હોઈ શકે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org