SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ચાલુ પ્રસંગે કેરીઓનું દ્રષ્ટાંત પણ જણાવે છે – આંબા ઉપર ચઢી કોઈ પર ઉપકાર કરવા ચાહતે, કેરીઓ નીચે રહેલા માનવને આપતે વસ્ત્રમાં તે લેઈને ભક્ષણ કરે પોતે અને, ખાવા દીએ વલી અન્યને નિજ પર તણું ઉપકારને. ૯૭ અર્થ –કેઈક માણસ આંબાના વૃક્ષ ઉપર ચઢીને પારકાને ઉપકાર કરવાની ઈચ્છા કરે છે તે વૃક્ષ ઉપરથી કેરીઓ તોડીને નીચે ઉભેલા માણસને આપે, ત્યારે તે મનુષ્ય તે કેરીઓને પોતાની પાસેના વસ્ત્રમાં લઈને પોતે પણ તેનું ભક્ષણ કરે છે. અને બીજાને પણ ખાવા માટે આપે છે. આવી રીતે તે મનુષ્ય પોતાના અને પારકાના ઉપકારને જેમ સાધે છે. તેમ અહીં સુત્ર રચનાની બાબતમાં પણ સમજવું. આ વાત ૯૮ મા લેકમાં જણાવે છે. ૯૭ ' ચાલુ પ્રસંગે દષ્ટાંતને બે લેકમાં ઘટાવે છે – - જિમ સાધતા તિમ જાસ પર ઉપકાર કરવા નિર્મલી, તીવ્ર ઈચ્છા ચિત્તમાંહે અમિતનાણી કેવલી; તે તીર્થપતિ વરના સુરતરૂ ઉપર ચઢી આગમ તણું, * અર્થરૂપ વૃષ્ટિ કરે કંઈ અંશને ગણી તેહના. ૯૮ બુદ્ધિ વચ્ચે ઝીલતા વરસૂત્ર રૂપે તેહને, વિરચતા ઈમ સાધતા તે સ્વપરના ઉપકારને સેય દોરામાં પરોવેલી પડે કચરા વિષે, તેય ઉપર જરૂર લાવી શકાય રહી સૂતર વિષે. ૯૯ અથ ઉપર કહેલા મનુષ્યના દષ્ટાંતની જેમ તે અમિત એટલે અનંત જ્ઞાનવાળા એવા કેવલી ભગવાન તીર્થકર, જેમના હૃદયમાં પારકાના ઉપર ઉપકાર કરવાની અત્યન્ત નિર્મલ ભાવના છે, તેઓ ઉત્તમ જ્ઞાન એટલે કેવલજ્ઞાન રૂપી કલ્પવૃક્ષની ઉપર ચઢીને આગમના અર્થને કહેવા રૂપ અર્થની વૃષ્ટિ કરે છે. તે અર્થના કેટલાક અંશને ગણધર ભગવાન પોતાની તીવ્ર બુદ્ધિ રૂપી વસ્ત્રની અંદર ઝીલી લે છે, અને તે અર્થની ઉત્તમ સૂત્ર રૂપે ગુંથણું કરે છે. આવી રીતે તે ગણધર ભગવંતે પિતાના અને પરના ઉપકારને સાધે છે. જેમ દેરામાં પરોવેલી સોય-કચરામાં પડી જાય, તે પણ સૂતરતા દેરામાં રહેલી હોવાથી તેને જરૂર ઉપર લાવી શકાય છે. તે પ્રમાણે આ શ્રી દ્વાદશાંગી રૂપી દોરાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy