SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધસૂરિ કૃતજ દરેક જીવના સર્વ પ્રદેશ છે. વસ્ત્રની માફક તે પ્રદેશને સકેચ વિકાસ જરૂર થઈ શકે, માટે જ કીડી અને હાથીને આત્મા એક સરખે છતાં નાના શરીરમાં સંકેચાઈને અને મોટા શરીરમાં ફેલાઈને રહી શકે છે. તત્ત્વાર્થ ટીકામાં કહ્યું છે કે, संकोचविकाशधर्मत्वादात्मप्रदेशानामिति. દરેક આત્મપ્રદેશની ઉપર રહેલા અનેક કર્મ સ્કંધેમાંના દરેક પરમાણુ જૂદા જૂદા સ્વરૂપે પરિવર્તન પામે છે, માટે વાસ્તવિક રીતે રાગદ્વેષનું ખરું કારણ બીજું કંઈ છે જ નહિ. કેવલ બીનસમજણને લઈને જ જૂદી જૂદી પ્રતીતિ થાય છે, એમ જેનાગમ પહેલેથી જ ફરમાવે છે. તથા નિયાયિકે કહે છે કે “શબ્દ એ આકાશનો ગુણ છે” તેઓ પણ ફેનેગ્રાફ વિગેરેની શબ્દની કેચ કરવાની ( પકડવાની) શક્તિને જોઈને જેમ જેનદર્શન “શબ્દ એ પૌગલિક પદાર્થ છે” એમ માને છે તેવી રીતે કબૂલ કરેજ છે. કારણ કે એકલો ગુણ તો પકડાય જ નહિ. પુગલ પકડી શકાય એ વાત તે આબાલ ગેપાલ જગજાહેર છે. વળી વાયરલેસ ટેલીગ્રાફની શેધળને જેન પ્રવચન નવીન શોધખોળ તરીકે માનતું જ નથી. કારણ કે તે ડિડિમ વગાડીને સ્પષ્ટ જણાવે છે કે–તારના દેરડાના અનુસંધાન વિના પણ સુઘાષા નામની ઘંટાના શબ્દો અસંખ્યાતા ભેજને દૂર રહેલા બીજા વિમાનની ઘંટાઓમાં ઉતરે છે, અને તે શબ્દોને સાંભળીને ઈદ્રાદિ દેવ કલ્યાણકને મહાત્સવ કરવા તૈયાર થાય છે. એમ બનવામાં શબ્દ શક્તિ સિવાય બીજું કંઈ છે જ નહિ. હંમેશાં આરંભ પરિગ્રહથી સર્વથા અલગ રહેનારા અમારા પૂજ્ય શ્રી તીર્થકર દેવો આરંભ પરિગ્રહથી બનતા એસ્પેરીમેંટ (પ્રાગ) અજમાવ્યા સિવાય માત્ર કેવલજ્ઞાનથી પૂરેપૂરી રીતે દ્રવ્યાદિને જાણ્યા બાદ દેશના દ્વારા કહે છે કે Hydrogen (હાઈડ્રોજન) અને Oxygen (ઓકિસજન) એ નામના બે વાયુના યેગે પાણી નીપજે છે. આ વાત જુઓ સૂત્રકૃતાંગ સૂત્રમાં “વતયોનિ” પાણી કહ્યું છે. તથા જીવતા માનવ દેહમાં અને વનસ્પતિમાં ઘણે અંશે ઘટતી પરાવૃત્તિ (ફેરફારી) પણ જણાવીને જીવપણું સાબીત કર્યું છે. એમ શ્રીઆચારાંગ અને લેકપ્રકાશના સ્પષ્ટ વચન ઉપરથી જાણું શકાય છે. તે છતાં હાલના શોધખોળ કરનારાઓ જે ઉપર જણાવેલી બીનાને નવીન શેવાળ તરીકે જાહેર કરે છે, તેઓ જૈન સિદ્ધાંતને પૂરેપૂર અનુભવ નહિ હોવાને લઈને જ તેમ જણાવે છે. અને દરેક જીવના પ્રદેશની ઉપર રહેલી અનંતી જ્ઞાનાદિ પર્યા, દરેક આત્મપ્રદેશે પૃષ્ટાદિ ચારમાંના કેઈ પણ એક સ્વરૂપે ચેટેલ અનંત પરમાણમય અનંતી કર્મ વર્ગણુઓને દરેક પરમાણુ કયે ટાઈમે કેવા સ્વભાવે પરિણમે છે, તેમજ બંધ, ઉદય, ઉદીરણું, સત્તા, અબાધાકાલ, સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, નિષેકરચના, ચરણ-કરણસિત્તરી, મિથ્યાદિ સેળ ભાવના, કષ, છેદ, તાપ વગેરેનું ભવ્ય સંપૂર્ણ સ્વરૂપ (અલૌકિક તત્વજ્ઞાન) કહે તો ખરા કે જેનેન્દ્રાગમ સિવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy