SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] છે. એટલે આ સૂત્રમાં નિર્મલ સંયમની સાધના કરીને જેઓ અનુત્તર વિમાનના દેવતાઈ સુખ પામ્યા, તેઓની જીવનચર્યા જણાવી છે. (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં––પ્રાચીન કાળમાં વિદ્યામંત્રાતિશય ગર્ભિત પ્રશ્ન શતાદિનું વર્ણન હતું, પણ તે ભાગ વિછેદ પામે, તેથી હાલ પાંચ આશ્રવ અને સંવરનું વર્ણન હયાત છે. આશ્રવની બીના જણાવતાં દરેક આશ્રવનું સ્વરૂપ ફલ વિગેરે બતાવીને છેવટે તેને છોડવાની શીખામણ આપીને પાંચ સંવરને સેવવાની સૂચના કરી છે. તેમાં દરેક સંવરની સેવના કઈ રીતે કરવી જોઈએ? દરેક સંવરનું સ્વરૂપ અને ફલ શું ? વિગેરે બીને જરૂરી દાખલા દઈને સમજાવી છે. યોગ્ય પ્રસંગે સીતા દ્રૌપદી વિગેરેની પણ બીના જણાવી છે. ૧૧ વિપાકસૂત્રમાં--દુઃખનાં સાધને સેવીને કયા ક્યા જી ચાલુ ભવમાં પણ નરકાદિ જેવાં કેવાં કેવાં દુઃખ પામ્યા એ બીના પહેલા શ્રુતસ્કંધમાં છે. બીજા શ્રુતસ્કંધમાં શ્રાવક ધર્મને લાયક સુબાહુ કુમારાદિ ભવ્ય જીવોના દાનાદિકનું સંયમ સાધનાદિનું અને પરભવનું વર્ણન છે. આમાંથી શ્રમણ નિથાને અને શ્રમણે પાસને “કર્મબંધનથી બચીને પિતાને ધર્મ સાધવામાં તત્પર રહેવું. ” વિગેરે અપૂર્વ બેધ (લેવા જેવો ) મળી શકે છે. ૧૨ મું દૃષ્ટિવાદ સૂત્ર હાલ વિચ્છેદ પામ્યું છે. એ અંગેનું ઋતકેવલી વિગેરે પ્રાતઃસ્મરણીય સ્થવિર ભગવંતે એ સ્પષ્ટીકરણ કરવા ઔપપાતિક વિગેરે ઉપાંગેની રચના કરી. આ પ્રસંગે ખાસ જાણવા જેવી અગત્યની બીના એ છે કે-જેમ દૂધમાં ઘી રહેલું છે તેને વિચક્ષણ પુરૂષે જૂદું કરી શકે છે. તેમ ચાલુ પ્રસંગે અંગસૂત્રે દૂધ જેવાં છે અને નિર્યુક્તિ આદિ અર્થો ઘી જેવા જાણવા. ચૌદ પૂર્વધર ભગવંતે તે તે સૂત્રોની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા નિર્યુક્તિ વિગેરે અલગ ગોઠવ્યા એમ શ્રીભગવતીજીમાં કહેલી કુત્તા હજુ ક્રમે ઈત્યાદિ વચનવાળી ગાથાથી જાણી શકાય છે. પ્રાચીન સમયે આ આગમરૂપ ગણાતા સૂત્રોના દરેક પદનું ચારે અનુગ ગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું, ત્યાર પછી કંઈક સમય વીત્યા બાદ કાળદેષથી જેની બુદ્ધિ ઘટવા માંડી, તેથી અનુગની અર્થ સંકલનામાં ગુંચવણ પડવા લાગી, વિગેરે અનેક કારણોને અંગે જગદ્ગુરૂ શ્રીઆર્યરક્ષિતસૂરિએ ચારે અનુગને જૂદા જૂદા સૂત્રમાં વહેંચ્યા. ત્યારથી તે તે સૂત્રોનું વ્યાખ્યાન તે તે અનુવેગને આશ્રયીને જ કરવા યોગ્ય થયું. તેમજ હાલની ઘણી સુપ્રસિદ્ધ શોધખોળે પણ તેજ વિદ્યા મંત્ર વિગેરેના ભંડાર જેવા ઉત્તમ પ્રવચન ગ્રંથમાંથી જ નિકળી છે. કારણ કે તે પૂજ્ય શ્રી જેના પ્રવચનમાં જ કર્મવાદ પરમાણુવાદ આત્મવાદ વિગેરેની સર્વાગ સંપૂર્ણ ફિલ ફી ( તત્વજ્ઞાન ) ભરેલી છે. શ્રી જેનેન્દ્ર પ્રવચનના ગઢ તત્વ જાણનાર ભવ્ય છેને એ વાત તે સારી પેઠે જાણમાં જ હશે કે જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy