________________
૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
સિદ્ધિપદને પામે છે. એ પ્રમાણે અક્ષેાલાદિ અધ્યયનામાં પણ સિદ્ધિપદને પામનારા પુણ્યશાલી જીવાનું વર્ણન આવે છે. દેવકીના છ પુત્રાનું વર્ણન તથા ગજસુકુમાલની જન્મથી માંડીને કેવલજ્ઞાન તથા મુક્તિપદને પામવા સુધીની ખીના અને ભયથી આયુષ્ય ઘટે એમાં દૃષ્ટાંત તરીકે જણાવેલા સેામિલ બ્રાહ્મણની તથા જાલિ વિગેરે કુમારેાની ખીના પણુ અહીં જણાવી છે. તથા દ્વારિકાના નાશ થવાનુ કારણું, કૃષ્ણે મહારાજા જરાકુમારના માણુથી મરણુ પામે છે. પ્રભુએ કહ્યુ કે ત્રીજી નરકમાં તમે જવાના છે, પણુ આવતી ચાવીસીમાં તમે બારમા અમમ નામે તીર્થંકર થશેા, આ સાંભળીને વાસુદેવ રાજી થાય છે, અને નરકમાં જવાનું સાંભળવાથી થયેલા ખેદને દૂર કરે છે, વાસુદેવ દ્વારિકા નગરીમાં ઢોલ વગડાવીને સ્પષ્ટ જાહેર કરે છે કે-“ જેએ પ્રભુ શ્રીનેમિનાથની પાસે દીક્ષા લેશે, તેમના કુટુ ંબની ખુમર હું રાખીશ. ’’ આ સાંભળીને બીજા જીવા જેમ દીક્ષા ગ્રહણ કરે છે, તેમ પદ્માવતી ગૌરી વિગેરે, અને શામ્બકુમારની રાણી મૂલશ્રી અને મૂલદત્તા પણ પ્રભુ શ્રીનેમિનાથની પાસે દીક્ષા ગ્રહણ કરીને અને તેની યથાર્થ આરાધના કરીને આત્મકલ્યાણ કરે છે. અર્જુનમાલી તથા સુદર્શન, અને અતિમુક્ત મુનિની ખીના, કાણિક રાજાની ચુલ્રમાતા કાલી નામની રાણી શ્રીચંદનખાલાની પાસે સાધ્વીપણામાં રત્નાવલી તપની સાધના કરે છે, એ પ્રમાણે શ્રેણિક રાજાની સુકાલી નામની રાણી કનકાવલી તપ કરે છે, તથા મહાકાલી ક્ષુલસિંહ નિષ્ક્રીડિત તપ કરે છે, અને કૃષ્ણા નામની રાણી મહાસિંહ નિષ્ક્રીડિત નામે તપ કરે છે, તથા સુકૃષ્ણા સાધ્વી સસસસમિકા વિગેરે પ્રતિમાઓનું વહન કરે છે. તથા મહાકૃષ્ણા સાધ્વી ક્ષુબ્રૂક સર્વાભદ્ર પ્રતિમાને, વીરકૃષ્ણા મહાસર્વાભદ્ર પ્રતિમાને, એમ રામકૃષ્ણુા, પિતૃસેન કૃષ્ણા, મહાસેન કૃષ્ણા સાધ્વી અનુક્રમે ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી તપ, આચામ્ય વર્ધમાન તપની નિર્મલ સાધના કરીને નિર્વાણુ પદ પામે છે. વિગેરે ખીના આ સૂત્રમાં વર્ણવી છે. એટલે શ્રીસિદ્ધાચલાદિ સ્થલે મુક્તિમાં જનારા જીવાનુ જીવન જણાવ્યું છે.
(૯) અનુત્તરાપપાતિક દશાંગ સૂત્રગાં—જાલી વિગેરેના પવિત્ર સંયમારાધનની, ગુણુરત્નતપની, ૧૧ અંગના અભ્યાસની, વિપુલગિરિની ઉપર કરેલા અનશનની છેવટે મેળવેલા વિજયાદિ વિમાનામાં દેવપણાની ખીના આવે છે. એ પ્રમાણે સેનાદિની પશુખીના અહીં જણાવી છે. તથા ધન્યકુમાર પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્યભાવથી પ્રભુ શ્રીમહાવીર દેવની પાસે દીક્ષા લેવાની ચાહના કરે છે. આ વાત માતા પિતાને જણાવે છે, તે અવસરે માતાપિતા પુત્રને શું શું કહે છે ? પુત્ર તેના કેવા ઉત્તરા આપે છે ? છેવટે તેમને સમજાવીને ધન્યકુમાર પ્રભુની પાસે દીક્ષા લઇને કેવી રીતે આકરી તપશ્ચર્યા કરે છે ? તે વખતે તેમના શરીરની સ્થિતિ કેવી થાય છે ? રાજા શ્રેણિકે પ્રભુ શ્રીમહાવીર દેવને પૂછ્યું કે આ સાધુએની પદામાં દુષ્કરકારક મુનિરાજ કાણુ છે ? આના જવાખમાં પ્રભુદેવે ૮ ધન્ય નામના મુનિરાજ’ એમ સાંભળીને શ્રેણિક તેમને ભાવથી વંદન કરે છે. મુનિરાજશ્રી ધન્ય મહારાજ છેવટે વિપુલગિરિની ઉપર અનશનમાં સમાધિ મરણે મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ધ્રુવ થાય છે. આ પ્રમાણે સુનક્ષત્રદ્વારક વિગેરેની ખીના પણ વર્ષો વી
Jain Education International
For Personal & Private Use Only:
www.jainellbrary.org