SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] નિજ સ્વભાવ તો નહિ તે માહરે મુજ વૃત્તિને, કેમ તજવી અન્યનું હિત થાવ ન ગણું ડંખને. ૮૮ અર્થ –પાણીમાં દુઃખી થતા આ વીંછીને જોઈને જેના બાળપણમાં તેની માતાએ દુખી જીવ ઉપર દયા રાખવાની અર્થવાળા ઉત્તમ ગીત (હાલરડાં) ગાયાં હતાં તેના સંસ્કારને લઈને દયાથી ભીંજાએલા હૃદયે તે મરવાની અણી પર આવેલા તણાતા વીંછીને તેણે પૂરમાંથી બહાર કાઢ, તે વખતે તે વીંછીએ તે કાઢનાર માણસના હાથે ડંખ માર્યો. આવા પ્રકારની હકીકત જોઈને કેઈક તેને કહે છે કે તમે આવું શા માટે કર્યું ? ઉપકારને બદલે અપકાર કરનાર છે એમ જાણવા છતાં આ દુષ્ટ વીંછીને તમે કેમ બહાર કાઢો ? ત્યારે તે માણસ તેને જવાબ આપે છે કે આ વીંછીના ડંખ ઉપરથી એ બોધ મળે છે કે વીંછીએ મરણાંત કષ્ટ આવ્યું તે પણ પિતાને અસલ સ્વભાવ ( ડંખ મારવાને ) છેડયે નહિ તે મારે પણ મારી વૃત્તિ (દયાના પરિણામને) શા માટે તજવી જોઈએ. માટે વીંછીના ડંખને હું ગણકારતો નથી, પણ તેનું હિત થાય એવી મારી ભાવના છે. ૮૭-૮૮ પ્રથમ પ્રશ્નનું સમાધાન કરે છે – જિનનામ કર્મ તણે રસદય તીર્થપતિને વર્તતા, કૃતકૃત્ય પૂરા તિણ નહી તસ રસ તણે અનુભવ થ; તેમ તિમ અગ્લાનિભાવે દેશના જિમ જિમ દિએ, દેશ કૃતાર્થ સગિ પ્રભુ ધુર પક્ષ ખંડન જાણિએ. ૮૯ અર્થ-તીર્થપતિ એટલે તીર્થકર ભગવંતને આ વખતે તેરમાં સગી કેવલી ગુણસ્થાનકે કેવલિપણામાં જિનનામ કર્મને રસદર્ય (સાક્ષાત્ ઉદય) ચાલતો હોય છે. તેથી તેઓ સંપૂર્ણ કૃતાર્થ નથી તેથી જેમ જેમ અગ્લાનિભાવે (ખેદ વિના) દેશના આપે છે. તેમ તેમ તે કેવલી તીર્થકર મહારાજા જિનનામ કર્મના રસને ભેગવે છે. આ પ્રમાણે સગી ગુણઠાણે રહેલા પ્રભુ દેશ કૃતાર્થ એટલે અમુક અંશેથી કૃતાર્થ છે એટલે પૂરેપૂરા કૃતકૃત્ય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય રૂપ ચાર ઘાતી કર્મોને નાશ કર્યો, એ અપેક્ષાએ કૃતાર્થ કહેવાય અને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્રકર્મ રૂપ ચાર અઘાતી કર્મોને હજુ ક્ષય કર્યો નથી. એને ક્ષય તે ચૌદમા ગુણઠાણાના છેલ્લા સમય સુધીમાં થશે આ અપેક્ષાએ અકૃતાર્થ છે. માટે તેમને દેશથી કૃતાર્થ કહ્યા છે. ૮૯ બીજા પ્રશ્નનું સમાધાન કરે છે – - પરપક્ષ ખંડન ઈમ કરે ગુરૂ, ભૂમિ જેવા ભવિજના, ભિન્ન ભિન્ન સ્વભાવવાળા એ નિમિત્તે તેમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy