________________
શ્રી વિજયપઘસરિતપ્રતિબંધ હોવે એકને નહિ એકને કર સૂર્યના,
લાભ થે કમલાદિને ના ઘુવડને જિમ ભૂલ ના. ૯૦ અર્થ-હવે શાસ્ત્રકાર મહારાજા બીજા પક્ષનું ખંડન આ પ્રમાણે કરે છે – સંસારી જી ભૂમિ જેવા છે એટલે જેમ ભૂમિ એક પ્રકારની નથી હોતી તેમ આ સંસારી જી પણ જુદા જુદા સ્વભાવવાળા છે. તેથી જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્તને લઈને તેમાંના એક ( ભવ્ય છે ) ને પ્રભુને પ્રતિબંધ થાય છે ત્યારે બીજા (અભવ્ય છ)ને પ્રતિબંધ લાગતું નથી. જેવી રીતે સૂર્યના કિરણે કમલ વગેરેને વિકસ્વર કરવા રૂ૫ લાભ આપે છે, ત્યારે તેઓ ઘુવડને લાભ કરી શકતા નથી તેમાં તે સૂર્ય કિરણેને દેષ નથી. પણ ઘુવડના સ્વભાવને દેષ છે. ૯૦
પ્રભુની દેશનાને રવિકિરણ તથા વરસાદ સાથે સરખાવે છે – સિદ્ધસેન દિવાકરે બત્તીસા બત્તીસી વિષે,
પણ તિમ કહ્યું એહી જ આવશ્યક તણી વૃત્તિ વિષે; રવિકિરણ વરસાદ જેવી જાણવી પ્રભુ દેશના,
દુષ્ટોતને ના ભૂલજે વલી પૂર્ણ અનુભવી વૈધના. ૯૧ અર્થ–સિદ્ધસેન દિવાકરે પોતાની રચેલી બત્તીસા બત્તીસી (જેમાં બત્રીસ ગાથાઓની એક બત્રીસી એવી બત્રીસ બત્રીસીઓ ) માં પણ આજ હકીકત કહી છે. તેમજ આવશ્યક સૂત્રની ટીકામાં પણ એજ પ્રમાણે કહ્યું છે, માટે પ્રભુની દેશના રવિકિરણ એટલે સૂર્યના કિરણ તથા વરસાદના જેવી જાણવી. આ બાબતમાં અનુભવી વૈદના દાન્તને તું ભૂલીશ નહિ. ૯૧
સાધ્ય અને અસાધ્ય વ્યાધિ ઉપર વૈદ્યનું દષ્ટાન્ત – સાધ્ય તેમ અસાધ્ય ગદની જિમ પરીક્ષા તે કરે,
હોય જેહ અસાધ્ય વ્યાધિ સાથે તે ઉચ્ચરે, ન કરે દવા પણ તાસ તોયે કુણ કહે બીન અનુભવી,
દ્વેષરાગી પણ નહીં દૃષ્ટાંત ઘટના જાણવી. ૨ અર્થ:--જેમ અનુભવી વિદ્યા સાધ્ય (મટી શકે તેવા) અને અસાધ્ય (ન મટે તેવા) એમ બંને પ્રકારના ગદની એટલે રેગની પરીક્ષા કરે છે. તેમાં જે અસાધ્ય વ્યાધિ હોય તેને અસાધ્ય અથવા પિતાથી ન મટાડી શકાય તે અને મટાડી શકાય તે હેય તે સાધ્ય કહે છે. પછી તે વૈદ્ય અસાધ્ય રોગની દવા કરતો નથી. તેથી તે વૈદ્યને બીનઅનુભવી એટલે અનુભવ વિનાને કણ કહે ? અથવા અસાધ્ય રોગની દવા ન કરે તેથી તેને કઈ અનુભવ વિનાને કહેતો નથી. તેમ તેને સાધ્ય અથવા અસાધ્ય ઉપર રાગ અથવા દૈષ પણ નથી. આ દષ્ટાન્તની ઘટના આ પ્રમાણે જાણવી. ૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org