SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્યસૂરિકૃત આપનારને માટે એવા માર્ગ ખુલ્લા નથી. કારણ કે ઉત્તર આપનારને તે મધ્યસ્થ એટલે સમભાવપણું તથા કરૂણ ચિત્તતા એટલે દયાના પરિણામ રાખવા પડે છે. આથી તે ઉત્તર આપનારા શાસ્ત્રકાર પ્રશ્ન કરનાર પ્રત્યે નાસ્તિકાદિ કહીને આક્ષેપ કરવાનું કે તપી જવાનું પસંદ કરતા નથી. કારણ કે એમ કરતાં તે લાભને બદલે નુકશાન ન પહોંચે છે. કદાચ પ્રશ્ન કરનાર કદાગ્રહી હોય અને એથી પોતાની બુદ્ધિ જ્યાં ચાલતી હોય, ત્યાં યુક્તિને લઈ જાય, આવા સ્વભાવને લઈને કદાચ શાસ્ત્રકારે કહેલા યોગ્ય સમાધાનને કબૂલ ન કરે, તે પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનાર એટલે શાંતિ અને પ્રેમ ભરેલા વચનોથી જવાબ દેનારા શાસ્ત્રકારને બીલકુલ નુકશાન છેજ નહિ. કારણ કે તેમની તેવી હિતબુદ્ધિ છે, કે કોઈ પણ જીવ કઈ પણ ઉપાયે પ્રભુદેવના માર્ગની એલખાણુ કરીને, તેની સાધના કરીને આત્મકલ્યાણ કરે. આ બાબતમાં દશ પૂર્વધર વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે-“વિધિ પૂર્વક કહેનારને તે એકાંતે લાભ જ છે” જુઓ તે પાઠ આ પ્રમાણે છે-હૂંતોનું દેવુંથા-વસુલાત્તતો ગ્રામઃ તત્વાર્થકારિકાને આ ભાગ છે) ૮૪-૮૫ પ્રશ્ન પૂછનાર દુર્જન હોય તે પણ વીંછીના દષ્ટાન્તથી તેને સમજાવવો, એમ કહે છેહોય દર્શન પ્રશ્નકારક તેય જે ઉત્તર તણા, દાતાર તે સંભારતા દષ્ટાંતને વીંછી તણા; વીંછી નદી માંહે તણુતે આવતે જે મરણની, છેલ્લી ઘડી માંહે રહેલે નજરે ચઢત એકની. ૮૬ અર્થ–-પ્રશ્ન પૂછનાર દુર્જન એટલે દુષ્ટ માણસ હોય તે પણ જે મહાશય સૂત્રકાર ભગવતે ઉત્તરના આપનાર હોય છે, તેઓ તો આવા પ્રસંગમાં વીંછીના દષ્ટાન્તને સંભારે છે, તે દષ્ટાન્ત આ પ્રમાણે --એક માણસ નદી ઉતરે છે. તેણે જેની મરણની છેલ્લી ઘડી આવી રહેલી છે એટલે મરવાની તૈયારીમાં છે એવા એક વીંછીને નદીના પ્રવાહમાં તણાત જે છે ૮૬ છે વીંછીનું દષ્ટાંત બે લેકમાં જણાવે છે – પારણામાં જેહના નિજ જનનીએ કરૂણા તણા, ગાયા હતા વરગીત શિશુ તે જોઈ દુઃખ વીંછી તણું આદ્ર હદયે પૂરમાંથી કાઢતો તે વીંછીને, હાથમાં ત્યાં ડંખ મારે ખ્યાન આવું જોઇને. ૮૭ કોઈ બેલે કિમ કરે છેમ તેહને ઉત્તર દીએ, બધ આમાંથી મલે ઈમ મરણ કરે વીંછીએ; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy