SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] શબ્દના વરસાદ વરસાવતા સવિ ભવ્યને, પ્રતિબોધવા અહે? ધન્ય પ્રભુના તીવ્ર કરૂણા ભાવને. ૮૩ અર્થ-કાર્યના પ્રસંગે એટલે જ્યાં તે ફૂલને વાપરવાની જરૂર જણાય ત્યાં તે ફૂલેને વાપરીને તે ઘણું સુખને પામે છે. આ દષ્ટાન્તની ઘટના ભાવવૃક્ષમાં આ પ્રમાણે જોડવી. નિયમાદિ ભાવવૃક્ષ ઉપર ચઢેલા અને કેવલજ્ઞાનને ધારણ કરનાર શ્રીજિનેશ્વર ભગવંતે શબ્દ રૂપી કૂલના વરસાદને સર્વ ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડવા માટે વરસાવે છે, અને વર્ષતાં ફૂલેને અદ્ધર પહોળા લૂગડામાં ઝીલી લે છે એટલે વિવેકી ભવ્ય જીવો મોક્ષના આશયવાળા હોવાથી એક કાને સાંભળી બીજે કાને (પ્રભુના શબ્દો) અનાદરથી કાઢી નાખી નકામા જવા દેતા નથી પરંતુ એક એક શબ્દને શ્રવણ કરી પોતાના ઉદાર ગુણવાળા હદયમાં ઉતારે છે, અને એ વચનોને કાર્ય પ્રસંગે એટલે ઉત્સર્ગ અપવાદાદિ જે સ્થાને જોડવા ગ્ય હોય તે સ્થાને જોડે છે. ભાવાર્થ એ છે કે તેઓ ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે ઉપદેશ આપે છે. માટે પ્રભુના અત્યંત દયાભાવના પરિણામને ધન્ય છે. ૮૩ - વાદીએ કરેલા પ્રશ્નો બે લેકમાં જણાવે છે – વાદી કરે ઇમ પ્રશ્ન કેમ કરે? પ્રભુ પ્રતિબંધને, કૃત કૃત્ય પ્રભુજી છે તમારા ઈમ કરે શા કારણે ? કતત્યતાને નાશ હોશે દેશના જ આપતા, જે કેવલી વીતરાગ છે તે એકને પ્રતિબોધતા. ૮૪ ના અભવ્યને આ ઉચિત શું? વીતરાગ કેવલી દેવને, શાસ્ત્રકાર જવાબ આપે પ્રશ્નના ધરી શાંતિને; ખુલ્લા બધાએ માર્ગ પ્રશ્ન કરંતને નહિ અન્યને, માધ્યસ્થ કરૂણા ચિત્તતા ઉત્તર તણું દાતારને. ૮૫ અથ–વાદી પ્રશ્ન કરે છે કે તમારા કહેલા રાગદ્વેષ રહિત વીતરાગદેવ જે કૃતકૃત્ય એટલે કતાર્થ અથવા ધારેલા કાર્યને સાધનારા છે તે પ્રતિબંધ કરવાનું શું કારણ? જે કૃતકૃત્ય પ્રભુ પણ દેશના એટલે ઉપદેશ આપે છે એમ કહેતા હો તે ઉપદેશ આપવાથી તેમના કૃત્યકૃત્યપણુને નાશ થશે. વળી બીજો પ્રશ્ન એ છે કે-જે કેવલી વીતરાગ છે તે એકને એટલે ભવ્યને પ્રતિબંધ કરે છે અને અભવ્યને પ્રતિબધ કરતા નથી. તે તમારા કેવલી પ્રભુ જે વીતરાગ છે તેમને આ શું ઉચિત એટલે છે? એવી રીતે પ્રશ્ન કરનારને શાંતિ ધારણ કરીને શાસ્ત્રકાર મહારાજ જવાબ આપે છે. પ્રશ્ન કરનારને સુતર્ક કુતર્ક શાન્તિ અશાન્તિ આદિ બધા માર્ગ ખુલ્લા છે, પરંતુ બીજાને માટે એટલે ઉત્તર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy