SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપરિકૃતવચનાતિશયથી શબ્દ શક્તિ વિચિત્રતાથી જિનવરા, એક સાથે એક વચને સર્વ સંશય આકર. ૭૭ અર્થ – કે જગગુરૂ એટલે જગતના ગુરૂ એવા શ્રી તીર્થકર ભગવાન કૃતકૃત્ય (કૃતાર્થ) એટલે જેમનું મેક્ષને સાધવારૂપ કાર્ય લગભગ ઘણે ભાગે સિદ્ધ થયાં જેવું છે. તે પણ, ઉદયમાં વર્તતા જિનનામ કર્મને ખપાવવાને માટે, અગ્લાનિ એટલે ખેદ રહિત પણે દુઃખી એટલે સંસારથી પીડાતા જીનાં દુઃખ દૂર કરવા માટે દેશના આપે છે. વળી પ્રભુને જે વચનાતિશય છે તેથી કરીને ઘણું કરીને કેઈને સંશય ઉપજતો નથી એવાં નિ:સંશય વચન છે, છતાં કેઈને શંકાનું સ્થાન રહે તો ચાલુ ઉપદેશમાંજ શંકા નિવૃત થઈ જાય છે. અને તેવા પ્રશ્નના પ્રસંગમાં પણ શબ્દશક્તિની વિચિત્રતાથી જિનેશ્વર ભગવંતે એકજ વચનથી ઘણુ જણના એક સાથે સઘળા આકરા (મુશ્કેલી ભરેલા) સંશયોને પણ દૂર કરે છે. ૭૭ એક વાક્યથી ઘણુ જણના પ્રશ્નના ઉત્તર આપવા વિષે દષ્ટાન્ત– દૂર કરતા સુણ બૂઢણ ગોવાલના દષ્ટાંતને, પાલી નથી” આવા વચનથી તેહ પંદર નારને; ઉત્તર દીએ ભિલે “સરે નથિ” કહી ત્રણ રમણીને, એક સાથે જવાબ દીધા પ્રવર ગણ પ્રભુ વચનને. ૭૮ અર્થ–પ્રભુ એક સાથે એકજ વચનથી ઘણાના સંશય શી રીતે દૂર કરે એવી શંકા કરવી નહિ. કારણ કે તે વિષે તું બૂઢણ નામના ગોવાળનું દષ્ટાન્ત સાંભળ. તેણે “પાલી નથી” એવા એકજ વચનથી પિતાની પંદર સ્ત્રીઓને તેમના પ્રશ્નનો જવાબ આપે. વળી એક ભિલે “સરે નWિ એ પ્રમાણે ઉત્તર આપીને પોતાની ત્રણ સ્ત્રીઓની માગણને એક સાથે જવાબ આપે. આ પ્રમાણે ગોવાળ તથા ભિલ્લ જેવા સામાન્ય મનુષ્ય પણ એકજ વાકયથી ઘણાને જવાબ આપ્યા તે વચનાતિશયના ઘણું ત્રણ જગત્પતિ શ્રીજિનરાજ એકજ વચનથી ઘણુ જણનાં સંશય દૂર કરે તેમાં કાંઈ અયુક્ત કે આશ્ચર્યકારી નથી. બૂઢણ શેવાળનું દૃષ્ટાન્ત આ પ્રમાણે – સંગધર નામનું એક ગામ હતું, ત્યાં બૂઢણ નામે એક સુખી રબારી રહેતું હતું. તેને પુષ્પવતી વિગેરે ૧૫ સ્ત્રીઓ હતી. એક વખત આ બૂઢણ ગોવાળ વનમાં ગાય વિગેરેને ચારવા લઈ ગયો હતો. ત્યાં તે શેવાળ બપોરે ખાવાની તૈયારી કરતો હતો, તેવામાં તેની પંદરે સ્ત્રીઓ તેની પાસે વનમાં આવી અને તે દરેક સ્ત્રીએ અનુક્રમે તેને આ પ્રમાણે પૂછયું કે-(૧) હે સ્વામિનાથ ! આજે ખીચડી વધારે કેમ રાંધી છે? (૨) આજે છાશમાં મીઠાશ ઓછી કેમ લાગે છે? (૩) જેણીને દાઢી મૂછ ઊગી છે, તે સ્ત્રી શું ઘેર છે? (૪) આપના શરીરે આજે ઠીક છે ને? (૫) આજે આખા કંકોડાનું શાક કેમ કર્યું છે? (૬) આ કતરી કેમ ભસે છે? (૭) તે ભેંસ શું ગભવંતી થઈ નથી? (૮) આ આગળ દેખાતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy