________________
| [ શ્રી વિજયપદ્યસૂરિકદ્વારાદિની બીના પ્રથમ ગઢની પરે જાણે અહીં,
દેવી જયાદિક ચાર દ્વારે શોભતી ઊભી રહી. ૬૧ અર્થ:–ઉત્તર દિશામાં જટામુકુટધારી નામે દેવ રખવાલ છે. ગઢની અંદર પાંચ ધનુષ્ય એટલે પ ગાઉની પહોળાઈવાળી સીધી અને સપાટ ભૂમિ છે. અહીંઆ દેવતા તથા મનુષ્ય પોતાના વાહનો રથ વગેરેને રાખે છે. ત્યારપછી જતિષ્ક દેવો ઉત્તમ રત્નના કાંગરાથી ઘણું શોભાયમાન એવા બીજા સેનાના ગઢની રચના કરે છે. આ બીજા ગઢમાં દાખલ થવા માટે પાંચ હજાર પગથી દેવ બનાવે છે. અહીં આ ગઢને વિષે પણ પ્રથમ ગઢની પેઠે બારણું વગેરેની હકીક્ત જાણવી. પરંતુ અહીં દ્વારપાલ તરીકે દેવને બદલે જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની ચાર દેવીએ શેભે છે એમ જાણવું. ૬૦-૬૧. તિને બેસવાનું સ્થાન વિગેરે જણાવે છે – પહોળાઈ બીજા ગઢ તણી અંદર પચાસ ધનુષ્યની,
સિંહાદિ જીવે બેસતા વાણું નિસુણવા પ્રભુતણું; અહીં રહેલા દેવજીંદાની ઉપર વ્યાખ્યાની,
સંપત્તિ હતાં બેસતા આદીશ પ્રભુ ત્રિભુવન ધણી. ૬૨ અર્થ–બીજા સોનાના ગઢની અંદર પચાસ ધનુષ્યની પહોળાઈ હોય છે. અહીં સિંહ, હાથી વગેરે તિચે પરસ્પરને વૈર ભાવ તજીને પ્રભુની વાણું સાંભળવા માટે શાંતિપૂર્વક બેસે છે. વળી અહીં ઈશાન ખૂણામાં દેએ બનાવેલો દેવછંદ હોય છે. જેને વિષે ત્રણ ભુવનના અધિપતિ શ્રી આદીશ્વર ભગવાન દેશના પૂર્ણ થયા બાદ બેસે છે. ૬૨ રત્નના ગઢની રચના વિગેરે જણાવે છે – તે પછી સપાન પાંચ હજાર ચઢતા રત્નનો,
ગઢ આવતે જેને નિરખતાં હર્ષ પ્રકટે મન ઘણો તેને રચે વૈમાનિકે કપિશીર્ષ મણિના શેતા,
ચાર દ્વારે દ્વારપાલે સેમ આદિક રાજતા. ૬૩ અર્થ -આ ગઢની પહોળાઈ ઓળંગીને આગળ જઈએ ત્યારે પાંચ હજાર પગથી ચઢીએ ત્યારે ત્રીજો રત્નને ગઢ આવે છે, જે જોઈને મનમાં ઘણો ઉલાસ (આનંદ) પ્રગટ થાય છે. આ ત્રીજા રત્નના ગઢની રચના વૈમાનિક જાતિના દેવો કરે છે. વળી આ ગઢની ઉપર મણિના કાંગરા શોભી રહ્યા છે. વળી આ ગઢના પૂર્વાદિ ચાર દરવાજાને વિષે સમ, યમ, વરૂણ, કુબેર એ નામના ચાર દ્વારપાલ શોભી રહ્યા છે. અહીં સમજવા જેવી બીના એ છે કે–(૧) પૂર્વ દિશાના દરવાજે સેમ નામને દેવ દ્વારપાલ હોય છે, તેને વર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org