SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતત્રણે કાલના તીર્થકરોની માફક શ્રી ઋષભદેવ પણ કરપાત્રલબ્ધિવંત લેત્તર પુરૂષ હતા, તેથી પ્રભુએ ૧૦૮ ઘડા પ્રમાણ રસ હોર્યો છતાં લબ્ધિના પ્રભાવે એક બિંદુ પણ નીચે ન પડયું. દાન મહિમા પણ જુએ! લેનાર–પ્રભુના હાથ નીચે રહે, અને દેનાર: –ભવ્યના હાથ ઉપર આવે. દાન એ ગ્રાહક, દાયક અને અનુમોદક (એ ત્રણે) ને તારનાર હોવાથી ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ કહેલ છે, રત્નાપાત્ર સમા પ્રભુને દાન દેતાં શ્રેયાંસકુમારના હર્ષને પાર ન રહ્યો. આ પ્રસંગે દેવે પણ ભક્તિને પ્રસંગ સાચવવા રૂપ વિવેકને ભૂલતા નથી. તેઓ પંચ દિવ્ય પ્રગટ કરે છે. તે આ પ્રમાણે–૧ અહદાન ! અહાદાન ! એવી ઉદ્દષણ કરે છે. ૨ દંદુભિ વગાડે છે. ૩ તીર્થંકર પ્રભુના પ્રથમ પારણે સાડાબાર કરોડ અને તે પછીના પારણુઓમાં સાડાબાર લાખ સોનૈયા રત્નની વૃષ્ટિ થાય છે, એ નિયમ પ્રમાણે તિર્યજભગ દેએ ૧૨ કરોડ સોનેયા રત્નની વૃષ્ટિ કરી. ૪ દેવોએ દેવતાઈ વાજિંત્રો વગાડયાં. ૫ દે એકઠા થયા અને વસ્ત્ર, સુગંધીજલ, પુષ્પાદિની વૃષ્ટિ કરી. શ્રેયાંસનું ઘર સુવર્ણાદિથી ભરાઈ ગયું, અને ત્રણે ભુવનમાં ધાન્યાદિની નિપત્તિ થઈ. પ્રભુને હાથ રસથી ભરાયા અને ત્રણે ભુવનમાં શ્રેયાંસને યશ ફેલા. શ્રેયાંસકુમાર નિરૂપમ મુક્તિના સુખના ભાજન બન્યા. કહ્યું પણ છે કે भवणं धणेण भुवणं, जसेण भयवं रसेण पडिहत्थो । अप्पा निरुवमसुक्ख, सुपत्तदाण महाग्धवियं ॥ १ ॥ સુવર્ણ પાત્ર સમાન મુનિવરેને દાન દેતાં અનેક રીતે દ્વિવિધ લાભ થાય છે, તે પછી રત્નપાત્ર સમાન તીર્થકરને દાન દેનારો ભવ્ય જીવ વિશેષ લાભ પામે, એમાં નવાઈ શી? દાયકના છ મહિનાના રોગ દૂર થાય, અને તે ભવમાં અથવા જરૂર ત્રીજે ભવે તે દાયકભવ્ય મુક્તિ પામે જ. શ્રેયાંસકુમારે આ પ્રકારનું મહાપ્રભાવશાલી સુપાત્ર દાન દીધું, જેથી તે અક્ષય સુખ પામ્યા. આ મુદ્દાથી એને સામાન્ય ત્રીજ ન કહેતાં અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. પ્રભુએ આ દિવસે ઈક્ષુરસનું પારણું કર્યું તેથી તે ઈશ્રુતૃતીયા પણ કહેવાય છે. - પ્રશ્ન–કંઈક અધિક એક વર્ષ સુધી પ્રભુને નિર્દોષ આહાર ન મળે, તેનું શું કારણ? ઉત્તર–પાછલા ભવમાં ખલાવાઢમાં એકઠા કરેલા ધાન્યને બળદ ખાતા હતા, એટલે ખેડુતે મારતા હતા, ત્યારે પ્રભુના છ ખેડુતને કહ્યું કે–“ઢે છીંકુ બાંધવાથી તેઓ ૧ શાસ્ત્રમાં-રત્નપાત્ર સમાન તીર્થંકર અને સાભિલાષ હેવાથી મુનિવરોને સુવર્ણપાત્ર સમાન, તથા શ્રાવકને પાત્ર સમાન કહ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy