________________
પ૬
[ શ્રી વિજયપદ્રસૂરિ કૃત
છે. તથા બીજા અને ફાયદો કરનાર સાચું અને બીજાને વ્હાલું લાગે તેવા વચનરૂપી અમૃતના આ૫ પધિ એટલે સમુદ્ર છે. અથવા તમે હંમેશાં અન્ય જીને હિતકર તથા પ્રિયકર એવું સત્ય વચન બેલનારા છે. તથા આપ અદત્તાદાનના એટલે ચેરીના પણ ત્યાગ કરનારા છો. ૪૫ કામ તિમિર હઠાવનારા બ્રહ્મ તેજે છાજતા,
ભાનુ જેવા આપને પ્રણમું હૃદયમાં ખૂશ થતા; તૃણ જિમ ગણી મમતા નિબંધને છોડતા પ્રભુજી તમે,
નિલેભ શેખર ! હાથ જોડી પાયમાં પડીએ અમે. ૪૬ અર્થ: હે પ્રભુ! કામ એટલે વિષયવાસના તે રૂપી અંધકારને દૂર કરનાર બ્રહ્મતેજ એટલે શિયલવ્રતના પાલનથી પ્રાપ્ત થએલ પ્રકાશ વડે શોભતા હોવાથી સૂર્ય સમાન આપને હું હદયમાં આનંદ પામતે પ્રણામ કરું છું. મમતા એટલે મારાપણું કરાવનાર તેના નિબંધન એટલે કારણરૂપ જે પરિગ્રહ તેને હે પ્રભુ! તમે તૃણ અથવા ઘાસ સમાન ગણીને તેને ત્યાગ કર્યો છે. માટે હે નિર્લોભશેખર! એટલે નિર્લોભી મનુષ્યમાં અગ્રેસર પ્રભુ! અમે હાથ જોડીને તમારા ચરણમાં પ્રણામ કરીએ છીએ. ૪૬ પ્રભુના પારણું વિગેરેની બીના જણાવે છે – લાભાન્તરાયિક કર્મ કેરા ઉદયથી ઈગ વર્ષના,
અંતે લહે ભિક્ષા ગજપુરે જઈ ગૃહે શ્રેયાંસના ઈક્ષરસનું પારણું શ્રેયાંસકુંવર કરાવતા,
અક્ષય તૃતીયા શુભ દિને સુખ મુક્તિના ઝટ પામતા. ૪૭ અર્થ:–લાભાન્તરાય નામના કર્મના ઉદયથી લગભગ એક વર્ષ સુધી પ્રભુને ભિક્ષા મળી નહિ. એટલે પ્રભુને લગભગ એક વર્ષના ઉપવાસ થયા ત્યારે તે કર્મને ઉદય પૂર્ણ થયે ગજપુર નામના નગરમાં પિતાના પુત્ર બાહુબલિના પુત્ર સમયશાના પુત્ર શ્રેયાંસકુમારના ઘેર પ્રભુદેવ પધાર્યા. ત્યાં તેણે ઈક્ષરસનું એટલે શેરડીના રસનું પારણું કરાવ્યું. આ પારણાને દિવસ અક્ષય તૃતીયાને (અખાત્રીજ) વૈશાખ સુદ ત્રીજને હતે. પ્રભુને આ પારણું કરાવવાથી શ્રેયાંસકુમારે પણ જલ્દીથી મોક્ષ સુખ મેળવ્યું. ૪૭ અખાત્રીજની બીના વિગેરે જણાવે છે – અક્ષયતૃતીયા પર્વદિન પામે પ્રસિદ્ધિ ત્યારથી,
દાન સમયે પંચ દિવ્ય પ્રકટ થયા પ્રભુ પુણ્યથી; કોડી સાડી બાર સે નયા તણી વૃષ્ટિ કરે,
સુર ભક્તિથી ઉભરાઈને ભવરૂપ સાયર ચુલુ કરે. ૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org