________________
[ શ્રી વિજયપત્રસૂરિકૃતહેવાથી “ગુપ્તેન્દ્રિય થયા છે. ઇન્દ્રિયને ગોપવનારા છો. બ્રહ્મચર્યની નવ વાડને ધારણું કરનાર તથા ચાર કષાયને હરનાર અથવા નાશ કરનાર થયા . તથા અનાશ્રવ (આવતા કર્મને રોકવા રૂ૫) જે સંવર ભાવને મેળવીને હારથી અને અંદરથી ઉપશાંત (શાંત સ્વભાવવાળા) છે. અને પરિનિવૃત એટલે સર્વ સંતાપથી રહિત છે. તથા હે પ્રભુ ! આપ અમમ (મમતા રહિત–પરિગ્રહ રહિત) છે. ૪૦ નિર્ચથતા સાચી ધરીને નિરૂપલેપ થયા તમે,
કાંસ્ય ભાજનમાં રહેલા નીરની જેવા તમે, નિસ્નેહ પ્રભુજી છે નિરંજન શંખના દષ્ટાંતથી,
અપ્રતિહત ગતિ જિનેશ્વર ! જીવના દૃષ્ટાંતથી. ૪૧ અર્થ:- હે પ્રભુજી ! તમે સાચી નિર્થથતા એટલે બાહ્ય અત્યંતર બંને પ્રકારની ગ્રંથી (પરિગ્રહ) થી રહિત છે. એટલે હિરણ્ય (સોનું) વિગેરેના સંબંધથી રહિત છો. તેમજ નિલેપ અથવા લેપ રહિત થયા છે. એટલે દ્રવ્ય મેલ અને ભાવ મેલ (કર્મથી થયેલી મલીનતા) ને દૂર કરનારા છે. તથા કાંસાના વાસણમાં રહેલા પાણીની જેવા (નિઃસ્નેહ (સ્નેહ વિનાના) છે. વળી સ્નેહ-રાગ રહિત હોવાથી શંખની પેઠે તમે રાગાદિ :રહિત છે. તથા જેમ જીવની અપ્રતિકત-ખલના વિનાની ગતિ થાય છે અથવા ગમે તેવા મજબૂત સ્થળે અટક્યા વિના ગમનાગમન કરી શકે છે તેમ તમારે વિહાર પણ તેવા પ્રકારને હોવાથી તમે અપ્રતિહત ગતિવાળા છે. ૪૧ છે આપ આલંબન વિનાના ગગનના દૃષ્ટાંતથી,
પ્રતિબંધ હીન વાયુ પરે શારદ સલિલ દષ્ટાંતથી, શુદ્ધ મન વાળા તમે વળી એક જાત પ્રભુ તમે,
વિપ્રમુક્ત વિહગપરે માની હદય રંગે રમે. કરો અર્થ:-- હે પ્રભુજી! આકાશ જેમ કોઈના આધાર વિના રહેલું છે, તેવી રીતે તમે પણ કેઈના આલંબન એટલે આશ્રય વિનાના છે. અથવા તમેએ આ ચારિત્ર પિતાના જ આધારે લીધું છે. તથા પવનને જેમ કેઈને પ્રતિબંધ નથી અથવા તેને કઈ રોકી શકતું નથી તેમ તમે પણ રાગ રહિત હોવાથી વાયુની જેમ સતત વિહારી છો. તથા જેમ શરદ ઋતુનું પાણી નિર્મળ અથવા સ્વચ્છ હોય છે તેમ તમારું મન પણ ઘણું શુદ્ધ છે. વળી હે પ્રભુ ! તમે એકજાત એટલે રાગાદિની મદદ નહિ લેનારા છે, કારણ કે રાગાદિના સાધનથી આ૫ અલગ રહો છો. તથા તમે વિપ્રમુક્ત વિહગ એટલે પંખીની જેમ પરિવાર વિનાના અને એકજ ઠેકાણે રહેનારા નહિ એવા આપે છે. એવું જાણીને મારૂં હૈયું આનંદથી રમે છે અથવા પ્રકુલ્લિત થાય છે. ૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org