SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૫૬ અર્થ -પ્રભુએ એક વર્ષમાં ત્રણ અઠયાસી કોડ અને એંસી લાખ નિષ્ક એટલે સોના મહોરો પ્રમાણ વાર્ષિક દાન આપ્યું. અને ચિત્ર વદ આઠમને દિવસે ધનુ નામની રાશિમાં, ઉત્તરાષાઢા નક્ષત્રમાં છઠ્ઠને તપ કરીને આનંદ પૂર્વક સુદર્શન નામની પાલખીમાં બેસીને ચાર હજારના પરિવાર સાથે અયોધ્યા નગરીમાંથી બહાર નીકળીને સિદ્ધાર્થ નામના વનમાં, અશોક વૃક્ષની નીચે દિવસના પાછલા ભાગમાં ચાર મુષ્ઠિ લેચ કરીને પિતાની મેળે ચારિત્ર ગ્રહણ કર્યું. (બધા જિનેશ્વરે પંચ મુષ્ઠિ લોચ કરે છે, પણ ઈન્દ્રના કહે વાથી પ્રભુએ એક છેલ્લી મુષ્કિને લોન્ચ કર્યો નહોતો.) તીર્થકરે પિતે પિતાની મેળે જ ચારિત્ર અંગીકાર કરે છે, અને તેઓ કેઈના શિષ્ય પણ થતા નથી. પ્રભુએ ચારિત્ર લીધું તે વખતે જ તેમને ચેણું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. કારણ કે આ જ્ઞાન ઉત્પન્ન થવામાં અપ્રમત્ત ચારિત્રની સાથે મુનિશની જરૂર પડે છે. તેથી બધા તીર્થકરો જે વખતે ચારિત્ર ગ્રહણ કરે તે જ વખતે મન:પર્યવજ્ઞાન પામે છે, પ્રભુએ ચારિત્ર લીધું ત્યારે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભે દેવદૂષ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. ત્યાર પછી ગુણે રૂપી રત્નના ભંડાર પ્રભુ પૃથ્વીને વિષે વિચરવા લાગ્યા. ૩૭–૩૮ ઇન્દ્ર દીક્ષા પ્રસંગે કરેલી સ્તુતિ આઠ શ્લોકમાં જણાવે છે – દીક્ષા પ્રસંગે ઇંદ્ર કરતા સ્તુતિ પ્રથમ જિનરાજની, હે નાથ ! તારા સર્વ ગુણને પૂર્ણ વર્ણવવા તણી; શક્તિ મુજ નહિ ભક્તિ ભાવે હું સ્તવું ધરી હર્ષને, આપના અનુભાવથી લહું બુદ્ધિના વિસ્તારને. ૩૯ અર્થ --પ્રભુએ જ્યારે દીક્ષા લીધી તે પ્રસંગે ઈદ્ર મહારાજ પ્રથમ તીર્થકર શ્રી ગષભદેવની સ્તુતિ કરતા કહે છે કે-હે નાથ ! આપના સર્વ ગુણનું સંપૂર્ણ વર્ણન કરવાને તે હું સમર્થ નથી, મારામાં શક્તિ નથી, તે પણ ભક્તિ ભાવથી આનંદ ધરીને હું શક્તિ મુજબ સ્તવના કરું છું. અને આપના અનુભાવથી એટલે પ્રભાવથી હું બુદ્ધિના વિસ્તારને મેળવું છું. ૩૯ આપ સંયમ ગુણ લહી અણગાર પદવીને વય, શુભ સમિતિ ત્રણ ગુપ્તિના ધરનાર ગુપ્તિદ્રિય થયા; ગુખ શીલ ધરનાર તિમ હરનાર ચાર કષાયને, ' ઉપશાંત પરિનિવૃત્ત અમમ લહતા અનાશ્રવ ભાવને. ૪૦ અર્થ --આપ હવે સંયમ ગુણ એટલે ચારિત્ર લઈને “અણગારપદવી એટલે સાધુની પદવીને વર્યા છો. વળી પાંચ સારી સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારણ કરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy