________________
નવકારમાં જિનશાસન ઃ માનવભવ ધર્મનું સાધન ૮૫ યાદ કરતાં શુભ પરિણતિ જાગી આપણા તન-મન પાવન થાય છે, સમ્યગ્દર્શન નિર્મળ થાય છે.
સમ્યગ્દર્શન એ વીતરાગ અરિહંત પ્રભુ પ્રત્યેને આત્માને ઝોક છે.
'એ એમનાં સ્મરણ, ગુણગાન કે પૂજન વંદનથી વધુ દઢ, વધુ નિર્મળ બને છે. બાકી એ અનંત ઉપકારી પ્રભુના પ્રભાવે અહીં માનવભવ અને ધર્મ પામ્યા છીએ માટે એ અનંત ઉપકારની સામે કૃતજ્ઞતારૂપે ડગલે પગલે એમનું સ્મરણતો સહેજે થઈ જાય, થવું જ જોઈએ. એથી આપણી ભાવનિદ્રા ઊડે છે, ચિત્ત-અધ્યવસાય શુદ્ધ બને છે. નવી ધર્મપ્રેરણા, ધર્મબળ મળે છે. કાયામાં પિશાચી દુષ્કૃત્યને બદલે દેવી સુકૃતને થનગનાટ ઊભા થાય છે.
અરિહંત-સ્મરણ અને પરમેષ્ઠિ-સ્મરણની તથા મહામંત્ર નવકારસ્મરણની બલિહારી છે, અથવા શ્રદ્ધાબળ જોઈએ કે અરિહંત-પંચપરમેષ્ઠી-નરંકાર મહામંત્રની અચિંત્ય તાકાત છે. બસ, પછી આમનાં સ્મરણ, જાપ, ધ્યાન, ગુણગાન વગેરે સાધના કર્યો જાએ, એટલે લાભના લેખા નહિ. જગતના સમસ્ત મંત્રમાં શિરોમણિ નમસ્કાર મહામંત્ર છે. ૫૮મે હવઈ મંગલં” આ અનાદિ વચન છે એટલે કે અનંતા તીર્થંકર ભગવાન આ કહેતા આવ્યા છે. એના અનંત સામર્થની શ્રદ્ધાપૂર્વક એની સાધના મળે એ પણ અનંત પુણ્યના ઉદયે મળે. આ પુણ્યદયની કદર હોય તે સાધના કેવી થાય?
અહિં ધ્યાનમાં રહે,
મહામંત્ર નવકારની સફળ સાધના કરી જવી હોય તે આ બે વસ્તુ બરાબર સાથે રાખે, એક એમના ગુણેની હદયભરી અમેદના અને બીજી એની પ્રાર્થના. " અનુમોદના અને પ્રાર્થનાનું શું એવું મહત્ત્વ છે?
અનુમોદના એ પ્રશંસા છે અને શાસ્ત્રકારે તે તે ધર્મની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org