SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમરાદિત્ય ૦ યશેષરમુનિ ચરિત્ર વિચાર ન કરવાને હેય. ધર્મકિયા માનવજીવનનું સાધ્ય છે ખરૂં, પરંતુ શુભભાવનું એ સાધન છે; તો એ સાયને સાધવા તરફ પાકું લક્ષ રહેવું જોઈએ. એટલે “ના, આપણે નવકારને જાપ કરે” આમ ઉદેશ વિના ન ગબડાવાય. ધ્યાનમાં રહે છે તે અંધળિયા જ છે કે જ્યાં વિચાર નથી, કે હું જે કરું છું તે શા માટે? ક્યાં પ્રજનથી ?” અલબત્ત એક ઉદ્દેશ એવો પણ હોય છે, કે ભાઈ! આપણે બીજું કાંઈ વધારે નથી સમજતા, પણ નવકાર સારે છે. પવિત્ર છે, માટે ગણવાને; આ ઉદ્દેશ સારે છે. પણ પ્રશ્ન આ રહે છે કે એનાથી તારે કંઈ જોઈએ છે?' ના કોઈ લાલસા અપેક્ષા નથી, બસ જીવનમાં જેટલું સારું થાય એટલું કરવું, એ હિસાબે નવકાર ઉત્તમ છે માટે ગણવાને.” શું નવકાર જા૫ સમથ છે? – તો આ આશય તે સારે છે. હવે આપણે એ જુએ કે એમાં શું દિનપ્રતિદિન પ્રગતિ થાય છે? વાત સાચી છે નવકારને મહિમા કમ નથી, નવકાર બધું સારું કરવા સમર્થ છે; પશુ જો એકલા નવકાર-જાપથી સૌ સારૂં થઈ જતું હોય, આત્મા વીતરાગ સર્વજ્ઞ બનીજતે હેય, તેતે શાસ્ત્ર અનેકાનેક આવશ્યક ક્રિયાઓ, દાનાદિ કવ્ય, વતનિયમે વગેરે કેઈ સાધનાઓ ફરમાવી છે, તેની શી જરૂર? દિનપ્રતિદિન પરિણતિનું વિશુદ્ધીકરણ ફરમાવ્યું તે શા માટે? નવકાર-માત્રથી એ શી રીતે સિદ્ધ થાય? માટે કહો નવકારને મહિમા એ છે કે બીજી સાધનાથી થતા આત્મવિકાસમાં નવકાર બહુ સહાયક છે, પ્રેરક છે. નવકાર એ વિનોને દૂર અને મનને નિર્મળ કરી આપવા દ્વારા સાધનાઓમાંની કારણશકિતને ભારે બળવતી બ લાવે છે. માટે જ કાર્યમાત્રના પ્રારંભે નવકાર યાદ કરવાનું છે. શાસ્ત્રવાચન નવકાર પૂર્વક થાય છે. તો વાત આ આવીને ઉભી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy