SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ યશોધર મુનિને પહેલા ભવઃ રાજા સુરેન્દ્રદત્ત સમરાદિત્યને જીવ ચોથા ભાવમાં ધનકુમાર સુંદર જિજ્ઞાસા બતાવે છે. તેથી મહાત્મા યશોધર મુનિને લાગે છે કે કલ્યાણ આકૃતિવાળે અને પ્રશાંત મુદ્રાવાળે જીવ કદાચ મારું ચરિત્ર સાંભળીને હૈરાગ્ય પામી જાય” એ સાચું છે કે ઉદ્ધત આકૃતિવાળ અને ઉકળાટની મુદ્રાવાળે વૈરાગ્ય પામે એ આશા ઓછી. મુનિ ધનકુમારને કહે છે કે જે તારે મારા કૌશગ્યનું વિશેષ કારણ જાણવું છે, તે સાંભળ.' એમ કહીને મુનિ પોતાની આત્મકથા “આ જ ક્ષેત્રમાં વિશાલા નામની નગરી છે. એમાં એક અમરદત્ત નામે રાજા થઈ ગયા. એમની રાણી હતી યશોધરા. આજથી નવમા ભવે હું એમને પુત્ર હતા. મારું નામ હતું સુરેન્દ્રદત્ત. યુવાન થતાં મારા લગ્ન થયા. પત્નીનું નામ નયનાવલિ હતું. સંસારની ઘટના મુજબ મને પત્ની પર અથાગ રાગ હતો. પિતાએ મને રાજ્ય આપીને ચારિત્ર લીધું. હું પણ સમકિતના ગથી વાસિત થયે. સમ્યક્ત્વને રંગ એટલે? શમ, સવેગ, નિવેદ, અનુકંપા ને આસ્તિયને રંગ! એમાં સંસાર અગર જે ખરે, ઝેર જે કહુ દેખાય છતાં મારી પની નયનાવલિ પર મારું મન ઘણું મેહિત હતું. સમજતો હતો કે ખેટું થાય છે. છતાં હું વાસનાને વશ હત! વિકારેથી ઘેરાચેલે હતો! એક બાજુ પરમાત્મા અને એમના વચન પર તે અવિહડ ધમરોગ, ને બીજી બાજુ પત્ની પર મેહરાગ! તેથી અંતરમાં ધર્મશ્રદ્ધા છતાં રાજ્યવૈભવ સાથે નયાનાવલિના વિષય સુખે જોગવતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy