SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આતુરતાઓ સુધારે ઉચકી-ઉંચકીને બીજે દાટે એમ ચાર મહિના સુધી ફેરવ્યા કરે તો તે ચાર મહિને ખત્મ થઈ જાય! બસ, એમ આપણું આ આહટ્ટદહટ્ટ મન તેવું છે. કંઈ વળે નહિ એમાં. એ ચરવળા-ઘાને ય નબળા બનાવી દેશે! તમારું મન આવું નથી ને? મામુલી જિજ્ઞાસા ઊઠતી નથી ને? વીતરાગનું દશન, જિનવાણીનું શ્રવણ ને પછીનું ધ્યાન, તે કેહીનુર હીરા જેવી વસ્તુઓ છે, એ જ માન્યું હોય, તે મનમાં બીજી ફજુલ વિચારણ ઊઠવા જગા ન રહે. કેઈને કેહીનૂર હીરે જડી જાય કે મળી જાય, તે મન એની જ વિચારણામાં કેટલું બધું થિર બની જાય! ફજુલ વિચારણાઓ કેવીક બંધ થઈ જાય! તે અહીં પણ ઊંચાં આલંબને બહુ બહુ કિંમતી છે, એવી ભાવના વારંવાર ભાવ્યા કરે. એથી એનું ભારે મમત્વ થતાં તુચ્છ જિજ્ઞાસાએ રવાના થશે. સામે વીતરાગની મૂર્તિ છે, થા જિનવાણીનું શ્રવણ છે, કે અરિહંતનું ધ્યાન છે, તે વખતે બીજું કાંઈ શ્રવણ, દશન, ને ધ્યાન પ્રવેશ ન પામી શકે. “દશ. નાદિ વખતે બીજું કંઈ જેવું નહિ; દર્શન, પૂજન અને ચૈત્યવંદન વખતે ધ્યાન વીતરાગ સિવાય બીજાનું નહિ -આટલું બનશે? બેલે. વ્યાખ્યાનમાંથી કાંઈ લેવા આવે છે ને કે માત્ર સાંભળવા? આમાં કયાં કઠીન છે? ભગવંતના દર્શનાદિ વખતે બીજી જિજ્ઞાસા-આતુરતા સેવી ફાંફાં મારવામાં શું મળે છે? જીવની જિજ્ઞાસા કેટલી ભૂરી હોય છે! દસ વર્ષ સુધી તાવ આવ્યું ન હોય, પણ રાત્રિભોજનના ત્યાગની વાત આવે તે ઝટ જિજ્ઞાસા થશે કદાચ માં દે પડું તે? તાવ આવે તો શું થાય?” ખોટી જિજ્ઞાસાઓને દાટે; મેલીઘેલા જિજ્ઞાસાની ઘેલછા છોડે. તુચ્છ જિજ્ઞાસાના ભયંકર નુકસાન : દયાન રાખજે આ મેલી કે તુચ્છ જિજ્ઞાસા-આતુરતાઓએ નુકશાન ઓછું નથી કર્યું. (૧) એણે અનેક કુસંસ્કારને પુષ્ટ રાખ્યા છે, (ર) એથી મેલા આકર્ષણે, કુવિક, દુર્ગાન-દુર્ભાવનાઓની પરંપરા ચાલુ રહી છે, તેથી (૩) પાપ, દુષ્કર્મ તથા દુઃખને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy