SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાન અને કર્મની વિટંબણું ૩૬૯ નાસ્તિકમાંથી આસ્તિક પ્રદેશ રાજ કેશી ગણધર પાસે રોફ અને રેષમાં ધમધમત આવે છે. પિતાના નાસ્તિકતાના પરાકો ગાયા, કેશી ગણધરે તત્વની સમજુતી આપી. હવે પ્રદેશીને પિતાના પાપ પ્રત્યે તિર સ્કર છૂચ, પાપી જાત પર ધણ થઈ આવી, “આ ભયંકર પાપલેશ્યા? મારું શું થશે?” એમ ભય ઊભું કર્યો. એ વિવલ થઈ ગયે તો ઘડી પહેલાંને મહાનાસ્તિક, ઘાતકી અને વિષચાંધ પણ પ્રદેશ રાજા મહાન આસ્તિક સભ્યદષ્ટિ ધર્માત્મા બન્યો ! પાપ સિરાવ્યાં! શ્રાવકનાં ઉત્તમ વાત સ્વીકાર્યા! અને પ્રદેશ રાજા નિર્મળ શ્રાવકના આચાર સેવ થઈ ગયો! પષધનાં પારણે પત્નીએ ઝેર આપ્યા છતાં જરાય પાપબુદ્ધિ, રેષ, રેફ, અસમાધિ ન કરતાં મહાધર્મ બુદ્ધિ, અરિહંતાદિ શરણ અને સમતા-સમાધિમાં સ્થિર થઈ સૂર્યાભ દેવ થયે. ત્યાંય પરમ જિનભક્ત બન્યો. આ બધુ કયારે ? મૂળમાં પાપલેશ્યા મૂકીને ધમલેશ્યા! અપનાવી તે. ઊંધા હિસાબોના નમૂના પણ કેશી મહારાજ પાસેથી તાવ જાણવા મળ્યા છતાં ઊંધા હિસાબ માંડયા હત, “ઠીક છે, દલીલ તો બધી કરી શકાય, પણ આ રંગરાગ વગેરેમાં પ્રત્યક્ષ સુખ દેખાય છે તેનું શુ? એ કઈ થડા જ મૂકી દેવાય? અને સાધુ મહારાજ તો એ જ કહે, પણ અમારે અમારૂ જેવાનું. એમ જે મહારાજનું માની લઈએ તે બિચારા ભારે નેહાળ ઘરવાળાને કેટલો બધો આઘાત લાગે? જિંદગી એણે સુખ આપ્યાં છે, હજી ચ મારી પાછળ એ મરી પડે છે, ત્યારે વૈભવ-વિલાસનાં સુખ પ્રત્યક્ષ દેખાય છે. વળી આપણું ઉમરે ય પાકી થઈ ગઈ, હવે કાંઈ વત-ત૫-જપને કષ્ટ ન બની શકે...” આવા આવા મનમાં ઉંચા વાળ્યા હેત તો પાપ ક્યાંથી છૂટત? ધર્માત્મા ક્યાંથી બનાત? જાણકારી મળ્યા પછી પણ આ લોચા ન વળે એવું નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy