SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૬ શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર એમ, વિશ્વમંત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, પાપી જી ઉપર ઉછળતી ભાવકરુણવિશાળ શાસ્ત્રજ્ઞાન, જવલંત વૈરાગ્ય, અથાગ મેરુચિ, ભરપૂર દેવ-ગુરુભક્તિ વગેરેની કેટલીય ખામી હજી મારામાં ઊભી છે !” આ બધાને વિચાર ન કરતાં, દેશે અને ખામીઓ ન સુધારતાં કયાં પર ચિંતામાં સબડી રહ્યો છું ! સડી રહ્યો છું ! ગાંઠનું ગુમાવી પીચંદન ! શાસ્ત્રકારે જિત્તાંsઘમઘમ “ કહે છે. ઉત્તમ આત્મચિન્તા, મધ્યમ વિષયચિંતા, અધમ અર્થચિન્તા, પણ અધમાધમ પરચિન્તા છે. ઉત્તમ બનવાના સેનેરી કાળમાં અધમાધમ બનવાને બંધ શા સારૂ કરૂં? શા માટે ઉત્તમ બનાવનારી વાત્મચિંતા મૂકી અધમાધમની ટિમાં મૂકનારી પર ચિંતાને વધાવું? એ વધાવવામાં તે કષાયે વધે છે! દુર્યાન વધે છે! મૈત્રી કરુણ ખરેખર ભૂલાય છે ! આત્મહિતની મળેલ મેઘેરી તક નિષ્ફળ કરાય છે ! માણસને પરચિંતાની લત લાગે છે. શાના ઉપર વિચાર કરી શકે. એવું મન મળ્યું છે માટે જ ને ? પશુને એટલી તાકાતવાળું મન નથી તો એ એટલી પર ચિંતા કરી શકે? ત્યારે શુ વિશિષ્ટ શક્તિવાળુ મન મળ્યું છે એને આ ઉપયોગ કરવાને? જે ઉચ્ચ કેટિના મનથી ઉદાત્ત મૈત્રી આદિ ભાવનાઓ ભાવી શકાય, તારક તત્વ ચિંતન કરી શકાય, નિજની ઝીણું ઝીણું ખામીએ શોધીને એના ખેદ ધરી એ દૂર કરવાના મનોરથ સંક૯૫ અને ઉપાય વિચારી શકાય, યાવત પવિત્ર વિચારસરણ ને ધર્મતનમયતા કેળવતાં ઠેઠ શુકલ દાન સુધી ચઢી શકાય, એવા મહા કિંમતી મહાનિધાનભૂત મનને અધમાધમ પર ચિંતામાં છે. દેવું એ ખૂબ જ ખતરનાક અને મહામૂર્ખાઇને ધધ નહિ તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy